આ સમય બાદ નહીં ફોડી શકાય ફટાકડા, રાજકોટ ગ્રામ્ય વિસ્તાર માટે અધિક જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:03:51

દિવાળીનો તહેવાર એટલે મીઠાઈ અને ફટાકડાનો તહેવાર. દિવાળીના તહેવારને હવે ગણતરિના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીને લઈ આ વર્ષે લોકોમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ અધિક કલેક્ટરે દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે રાત્રિના 10 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા દરમિયાન ફટાકડા નહીં ફોળી શકાય.  

Two killed in explosion during Deepavali celebrations in Hyderabad's old  city | The News Minute


રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ 

કોરોના કાળ દરમિયાન દિવાળીની ઉજવણી સીમીત રીતે થતી હતી. પ્રતિબંધો સાથે ઉજવણી કરવામાં આવતી હતી. ત્યારે આ વખતે સરકાર દ્વારા કોરોનાને લઈ કોઈ પણ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યા જેને કારણે દિલ ખોલીને લોકો દિવાળીના તહેવારમાં આનંદ કરી શક્શે. ત્યારે ફટાકડાને લઈ રાજકોટ અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત ઈ-કોમર્સ વેબસાઈટ પર ફટાકડાનું વેચાણ અથવા તો ઓર્ડર નહીં લઈ શકાય તેમજ જાહેર રસ્તા પર કે ફૂટપાથ પર પણ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ફટાકડા ફોડી શકાશે નહીં.   



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.