પ્રદુષણ નિયંત્રણ માટે કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 11:48:25

દિલ્હીની કેજરીવાલ સરકારે એક મહત્વનો નિર્ણય લેતા રાજધાનીમાં ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ અંગે માહિતી આપતું એક કર્યું છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણના સ્તરથી ચિંતિત સરકારે લોકોને બચાવવા માટે ગત વર્ષની જેમ આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. 


દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ / ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે મળીને એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.


દિલ્હી સરકારે મંગળવારે વિન્ટર એક્શન પ્લાન પર બેઠક કરી હતી. આ અંગે ગોપાલ રાયે કહ્યું હતું કે વિન્ટર એક્શન પ્લાનને લઈને તમામ સંબંધિત વિભાગો સાથે બેઠક યોજાઈ હતી. સરકાર દ્વારા તૈયાર કરાયેલા 15 ફોકસ પોઈન્ટ પર વિગતવાર યોજનાઓ તૈયાર કરવાનું કામ લગભગ 30 વિભાગોને આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે 15 સપ્ટેમ્બર સુધીમાં તમામ વિભાગોના અહેવાલો લઈને પર્યાવરણ વિભાગને વિન્ટર એક્શન પ્લાન તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.