શાહીબાગમાં આવેલી ઓર્ચિડ ગ્રીન ફ્લેટ બિલ્ડીંગમાં આગ, આગમાં ફસાયેલ સગીરા મોતને ભેટી


  • Published By :
  • Published Date : 2023-01-07 12:16:59

આગ લાગવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાઓ પર આગ લાગવાને કારણે લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે વહેલી સવારે શાહીબાગ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. શાહીબાગ વિસ્તારના ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી જેમાં 5 વ્યક્તિઓ ફસાયા હતા. ઘરમાં ફસાયેલ 5 વ્યક્તિઓમાંથી 4 વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ સગીરા આગમાં ફસાઈ ગઈ હતી જેનું અંતે મોત થયું છે. 

એમ્બ્યુલન્સ સહિત 15 ગાડીઓ સ્થળ પર



આગમાં ફસાયેલી સગીરા



ફાયર બ્રિગેડની 15 ટીમોએ મેળવ્યો આગ પર કાબુ  

છેલ્લા અનેક દિવસોથી આગ લાગવાને કારણે લોકોને નુકસાન થાય છે ઉપરાંત અનેક લોકોના મોત પણ થતા હોય છે. થોડા દિવસો પહેલા શાહપુર વિસ્તારમાં આવેલા ઘરમાં આગ લાગી હતી જ્યારે એના થોડા દિવસો પહેલા મોદી આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આ બંને આગની ઘટનામાં લોકોના મોત થયા છે.ત્યારે આજે શાહીબાગ વિસ્તારમાં આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગના સાતમા માળે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની 15 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં 5 લોકો ઘરની અંદર ફસાઈ ગયા હતા. આગ લાગવાને કારણે 4 સભ્યો ઘરની બહાર નીકળી ગયા પરંતુ સગીરા અંદર ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યું અને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ તેનું મોત થઈ ગયું હતું.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.