એલિસબ્રિજ નજીક આવેલા તક્ષશિલા હાઈરાઈઝ બિલ્ડીંગના 12માં માળે લાગી આગ


  • Published By :
  • Published Date : 2023-02-03 09:58:16

આગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે તે સિવાય નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.


ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ 

થોડા સમય પહેલા શાહીબાગમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી હતી જેમાં એક બાળકીનું મોત થયું હતું. તે ઉપરાંત ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ આગનો કિસ્સો બન્યો હતો. ત્યારે વહેલી સવારે ફરી એક વખત આગ લાગી છે. એક કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. 


તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે લાગી આગ

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવવા 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગતા જ ઘરના સભ્યો અને રહીશો ઘરની બહાર નિકળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઈલેક્ટ્રિક ડકમાં ધુમાડા નીકળતા શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.