ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી આગ, એક વ્યક્તિનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-20 11:41:19

આગ લાગવાની ઘટનામાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક ઘરોમાં આગ લાગવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી છે. ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-V બ્લોકમાં આગ લાગી હતી. આ ઘટના ચોથા માળે લાગી હતી અને મળતી માહિતી અનુસાર આ આગને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું છે. 

Ahmedabad: One more person dead in fire in highrise building ahmedabada Ahmedabad Fire: ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ લાગતાં એકનું મોત, 15 દિવસમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગનો બીજો બનાવ

ઘટનામાં એક વ્યક્તિનું થયું મોત 

આજકાલ આગ લાગવાની ઘટનાઓ અવાર-નવાર બની રહી છે. ફરી એક અમદાવાદની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ ગોદરેજ ગાર્ડન સિટીમાં લાગી છે.  ઈડન-V બ્લોકના ચોથા માળે આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 8 ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આગમાં એક વ્યક્તિનું મોત પણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. 


ભારે મહેનત બાદ ફાયર વિભાગને મળી સફળતા   

ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવા એક કલાક સુધી પ્રયાસો કરાયા હતા. પાણીનો મારો સતત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે કોલ મળતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


શાહીબાગમાં પણ બની હતી આગ લાગવાની ઘટના 

થોડા દિવસો પહેલા શાહીબાગમાં આવેલા ફ્લેટના સાતમાં માળે આગ લાગી હતી. આ આગમાં એક કિશોરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે થોડા દિવસોમાં બીજી વખત હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે ઉપરાંત નુકસાન વેઠવાનો વારો પણ આવે છે.      




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.