ઉત્તર પ્રદેશમાં બની આગ અને અકસ્માતની ઘટના, બંને ઘટનામાં લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-11-30 10:37:38

ઉત્તર પ્રદેશમાં સવારથી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. એક બાજુ રોડ અકસ્માતને કારણે લોકો મોતને ભેટ્યા છે જ્યારે અનેક લોકો આગ લાગવાને કારણે મૃત્યુ પામ્યા છે. આગની ઘટના ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં બની છે. જ્યારે અકસ્માતની ઘટના બહરાઈમાં બની છે. જરવલ રોડના ઘાઘરા ઘાટ સ્ટેશન પાસે બસ ટ્રક સાથે અથડાઈ હતી.

Image

આગમાં અનેક લોકો હોમાઈ ગયા 

ફિરોઝાબાદના જસરાણા તહલીલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. મુખ્ય બજારમાં આવેલા વેપારીની ત્રણ માળની બિલ્ડીંગના ભોયરામાં આવેલા ફર્નિચરની દુકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના ગઈ કાલ બની હતી. ભોયરામાં લાગેલી આગમાં ઉપર આવેલુ મકાન પણ લપેટામાં આવી ગયું હતું. આગ એટલી ભીષણ હતી કે આ આગમાં પરિવારના અંદાજીત 6 સભ્યો આગમાં હોમાઈ ગયા હતા. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે અને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરી છે.

  

બસ અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત

બીજી ઘટનામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બહરાઈચ -લખનઉ હાઈવે પર જરવલ રોડના ઘાઘરા ઘાટ પાસે બસ સાથે ટ્રક અથડાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે 11 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.