શાહરૂખની પત્ની ગૌરી ખાન સામે લખનઉમાં નોંધાઈ FIR,જાણો શું છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-03 17:52:18

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામે  FIR નોંધાઈ છે.  ઉત્તર પ્રદેશના લખનઉના સુશાંત ગોલ્ફ સીટી પોલીસ સ્ટેશનમાં ગૌરી ખાન સામે બિન જામીન પાત્ર કલમ 409 હેઠળ  FIR થઈ છે. મુંબઈના કિરીટ જશવંત શાહે તુલસિયાન કન્ટ્રક્શન એન્ડ ડેવલપર્સના સીએમડી અનિલ કુમાર તુલસિયાન, ડાયરેક્ટર મહેશ તુલસિયાન અને બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે  FIR કરી છે.


ગૌરી ખાન સામે આરોપ શું છે?


અરજીકર્તાનો આરોપ છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનના પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થઈને સુશાંત ગોલ્ફ સીટી વિસ્તારમાં તુલસિયાન ગોલ્ફ વ્યૂમાં ફ્લેટ ખરીદ્યા હતા. પરંતું 86 લાખ રૂપિયા લેવા પછી પણ ફ્લેટ અન્ય કોઈ વેચી દીધા છે. ફરિયાદીએ ગૌરી ખાનની વાતોમાં આવીને ઓગસ્ટ 2015માં સુશાંત ગોલ્ફ સીટી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા અને બિલ્ડરો સાથે મુલાકાત બાદ 86 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. 


રૂપિયા ચૂકવ્યા છતાં ફ્લેટ ન મળ્યો


બિલ્ડરે 2016 સુધી ફ્લેટ મળી જશે તેવી વાત કહીં હતી ત્યાર બાદ તેમણે 85.46 લાખ રૂપિયા બિલ્ડરના ખાતામાં જમા કરાવ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે