Finance Minister Nirmala Sitharamanએ આ કારણોસર લોકસભા ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર! કારણ જાણીને તમે ચોંકી જશો...!


  • Published By :
  • Published Date : 2024-03-29 11:57:15

લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી રહી છે. અનેક દિગ્ગજ નેતાઓને પાર્ટી દ્વારા ટિકીટ આપવામાં આવી છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ ટિકીટ આપવાની વાત કરી હતી પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. મળતી માહિતી અનુસાર નિર્મલા સીતારમણને ભારતીય જનતા પાર્ટીએ આંધ્ર પ્રદેશ અથવા તમિલનાડુથી ચૂંટણી લડવા માટે ઓપ્શન આપ્યું હતું પરંતુ તેમણે ના પાડી દીધી.. નાણા મંત્રીએ એક ઈન્ટરવ્યું દરમિયાન આ વાતની સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી....

nirmala sitharaman declines bjp offer to contest lok sabha elections dont have money


વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો કર્યો હતો ઈન્કાર!  

ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપવામાં આવી છે. અનેક નેતાઓ એવા છે જેમણે સામેથી ચૂંટણી ના લડવાની વાત કરી છે. ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. જ્યારથી આ વાત વિત્તમંત્રી દ્વારા કરવામાં આવી ત્યારથી અનેક સવાલો થયા હતા. શા માટે તેમણે ચૂંટણી લડવાની ઓફરને નકારી હતી. આ બધા વચ્ચે તેમણે એક ઈન્ટરવ્યુમાં નિર્મલા સીતારમણે આનું કારણ જણાવ્યું છે.  



શા માટે ચૂંટણી લડવાની ના પાડી તેનો આપ્યો જવાબ?

એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટતા આપતા કહ્યું કે 'એક અઠવાડિયા સુધી તેના વિશે વિચાર કર્યા પછી જ્યારે મને ઓફર મળી, મેં તેને નકારી કાઢી. મારી પાસે ચૂંટણી લડવા માટે એટલા પૈસા નથી. મને બીજી સમસ્યા પણ છે. આંધ્ર પ્રદેશ હોય કે તમિલનાડુ, જીતવા માટે ઘણા અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે આ સમુદાયના છો કે તમે તે ધર્મના છો? મેં કહ્યું ના, મને નથી લાગતું કે હું તે કરવા સક્ષમ છું. હું ખૂબ જ આભારી છું કે તેમણે મારી અરજી સ્વીકારી. એટલા માટે હું ચૂંટણી લડી રહી નથી.'



વિત્ત મંત્રી પાસે ચૂંટણી લડવાના પૈસા નથી!

વધુમાં તેમણે કહ્યું કે મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પણ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. હું ઘણા મીડિયા કાર્યક્રમોમાં ભાગ લઈશ અને ઉમેદવારોની સાથે રહીશ, આવતીકાલની જેમ હું રાજીવ ચંદ્રશેખરના પ્રચારમાં જઈશ. હું અભિયાનનો ભાગ બનીશ. મહત્વનું છે કે નિર્મલા સીતારમણે ભલે ચૂંટણી લડવાની ના પાડી હોય પરંતુ ભાજપે પીયૂષ ગોયલ, ભૂપેન્દ્ર યાદવ, રાજીવ ચંદ્રશેખર, મનસુખ માંડવિયા અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા વર્તમાન રાજ્યસભાના ઉમેદવારોને ટિકિટ આપી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!