AAP-Congress વચ્ચે ગઠબંધન ફાઈનલ! ગુજરાત-દિલ્હી સહિત આ રાજ્યોમાં ગઠબંધન અંતર્ગત લડાશે ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2024-02-24 10:50:48

લોકસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી છે. સીટોની વહેંચીને લઈ આપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો ચાલી રહી છે અને આજે ગઠબંધનને લઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવવાની છે. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધવાના છે અને તેમાં ગઠબંધન અંગેની જાહેરાત કરવામાં આવશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં દિલ્હી, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને ગોવામાં બેઠકોની વહેંચણીની જાહેરાત કરવામાં આવશે.   


ગુજરાતની બે લોકસભા સીટો પર હશે આપના ઉમેદવાર!

વિપક્ષી પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું છે. આ ગઠબંધન હેઠળ રાજ્યોમાં સીટોની ફાળવણીને લઈ ચર્ચા થઈ રહી છે. સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં દેશના વિવિધ રાજ્યો માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાતની બે સીટો પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે 24 જેટલી સીટો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.


આ રાજ્યો માટે થઈ શકે છે ટિકિટ ફાળવણી અંગે જાહેરાત

ન માત્ર ગુજરાતની સીટોની ફાળવણી અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા રાજ્યો માટે પણ સીટોની ફાળવણી અંગેની જાહેરાત થઈ શકે છે. સત્તાવાર રીતે થોડી વારમાં જાહેરાત થઈ શકે છે. સંયુક્ત પત્રકાર પરિષદ કરવામાં આવશે જેમાં કોંગ્રેસ નેતા દીપક બાવરિયા, દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી અને મુકુલ વાસનિક સાથે આપ નેતા સૌરભ ભારદ્વાજ, આતિશી અને સાંસદ સંદીપ પાઠક સામેલ થશે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે