ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સની હાર બાદ ચાહકોમાં આક્રોશ, રાજધાની પેરીસ સહિત અનેક શહેરોમાં હિંસા


  • Published By :
  • Published Date : 2022-12-19 13:44:55

ફિફા વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સ અને અર્જેન્ટિના ટકારાયા હતા. જો કે ફ્રાન્સનો કારમો પરાજય થતા રાજધાની પેરિસ સહિત દેશના અન્ય ભાગોમાં જોરદાર હિંસા ફાટી નિકળી હતી. હજારો ફુટબોલ ચાહકો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને તોફાનો કરવા લાગ્યો હતા. તેમના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે પોલીસના નાકે દમ આવી ગયો હતો. પોલીસે ટોળાને કાબુમાં લેવા ટિયર ગેસના શેલ છોડ્યા હતા.  


લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો


મીડિયા રિપોર્ટસ મુજબ પેરિસ અને અન્ય શહેરોમાં મોટી સંખ્યામાં ફુટબોલ પ્રમીઓ મેચ જોવા માટે રેસ્ટોરન્ટ્સ અને બારમાં એકત્રિત થયા હતા. જો કે ફ્રાન્સની હાર બાદ લોકોમાં ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો, અને ધમાલ મચાવવાનું શરૂ કરી દીધું હતું. પોલીસે પાણીનો મારો અને આંસુ ગેસ છોડીને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસે કેટલાક તોફાની તત્વોની અટકાયત પણ કરી હતી.


સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ


ફ્રાન્સના વિવિધ શહેરોમાં તોફાની તત્વોએ તોડફોડ મચાવી હતી. ઉપદ્રવીઓએ માર્ગો પરના સ્ટોલ અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું. કેટલાક લોકોએ ગોળ ફટાકડાં અને પથ્થરોથી પોલીસકર્મીઓ પણ હુમલા કર્યા હતા. રાજધાની પેરીસ ઉપરાંત લ્યોન અને નીસ શહેરમાં પણ મોટાપ્રમાણાં તોફાનો થયા હતા.  



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.