Tamil Naduમાં ભીષણ રોડ અકસ્માત, ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ પર ફરી વળી ગાડી! જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-09-11 16:43:59

થોડા સમય પહેલા અમદાવાદમાં એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. અકસ્માતમાં 10 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ઓવરસ્પીડને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા તો કોઈ વખત અન્ય કારણોસર ગાડી પરથી કાબુ જતો રહે અને અંતે અકસ્માત સર્જાય છે. ત્યારે એક ભીષણ રોડ અકસ્માત તમિલનાડુના તિરૂપથુરમાં સર્જાયો છે, જ્યાં ફુટપાથ પર બેઠેલા લોકો પર વાન ચાલી ગઈ. આ ઘટનામાં 7 જેટલી મહિલાઓના મોત થઈ ગયા છે.


અકસ્માતમાં થયા 7 મહિલાઓના મોત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઘરેથી નીકળેલો વ્યક્તિ પાછો ઘરે પરત ફરશે કે નહીં તેની ગેરંટી નથી. રસ્તા પર સર્જાતા અકસ્માત અનેક વખત લોકોના જીવ લઈ લેતા હોય છે. અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મોત થઈ જતા હોય છે. કોઈની મજા કોઈ માટે સજા સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં એક અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ગંભીર અકસ્માત તમિલનાડુમાં સર્જાયો છે જેમાં 7 મહિલાઓના મોત ઘટના સ્થળ પર થઈ ગયા છે તેવી માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર ગાડીમાં કોઈ ખામી સર્જાતા ગાડીને રિપેરિંગ માટે રોડની સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી.


મહિલાઓ પર વાહન ફરી વળતા સર્જાઈ દુર્ઘટના 

ગાડી ઠીક થઈ રહી હતી જેને લઈ ગાડીમાં સવાર મહિલાઓ ફૂટપાટ પર બેઠી. પરંતુ ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ કાળનો કોળિયો બની ગઈ. પાછળથી આવી રહેલી ટ્રકે પાછળથી ટક્કર મારી અને ફૂટપાટ પર ફરી વળી. ફૂટપાટ પર બેઠેલી મહિલાઓ પર ટ્રક ફરી વળી હતી અને ટ્રક મહિલાઓને કચડીને લઈ ગઈ,  આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર જે લોકો સાથે આ દુર્ઘટના સર્જાઈ છે તે કર્ણાટકથી ધર્મશાળાની યાત્રા પર જઈ રહ્યા હતા. 


પોલીસે આ મામલે કેસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી 

પીડિતો બે વેનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બેંગલુરૂ-ચેન્નઈ રાષ્ટ્રીય  રાજમાર્ગ પર નટરામપલ્લીમાં એક વાહનનું ટાયર બગડી ગયું. જેને લઈ યાત્રી રસ્તામાં ફસાઈ ગયા. પેસેન્જરને ઉતાર્યા બાદ કાર ચાલક ગાડીને રિપેર કરી રહ્યો હતો.. તે બાદ બેંગ્લુરૂથી આવી રહેલી ટ્રકે વેનને પાછળથી ટક્કર મારી જેને કારણે વેન સાત મહિલાઓને કચડીને જતી રહી. આ ઘટનાની જાણ થતાં તમિલનાડુના મુખ્યમંત્રીએ સહાય આપવાની જાહેરાત કરી છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.     



તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન "₹"ના સિમ્બોલને બદલવાની જાહેરાત કરી છે . તેની જગ્યાએ તેમણે તમિલ ભાષાના શબ્દ "રુબિયા"નો પેહલો શબ્દ "ரூ"લેવાની જાહેરાત કરી છે . આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઇને સત્તાધારી પક્ષ ડીએમકે "ઉત્તર"ની વિરુદ્ધમાં "દક્ષિણ" કરવાનો પ્રયાસ કરી રહી છે . કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો તમિલનાડુમાં પ્રભાવ વધી રહ્યો છે જેને લઇને ડીએમકે ચિંતિત છે .

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.