જ્ઞાન સહાયક ભરતી યોજનાનો ઉગ્ર વિરોધઃ ગાંધીનગરમાં ધરણા કરી રહેલા TET-TAT પાસ ઉમેદવારોની અટકાયત


  • Published By :
  • Published Date : 2023-11-09 16:16:21

રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. TET-TAT પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગર ખાતે જ્ઞાન સહાયક યોજનાના વિરોધ તેમજ કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ધરણાં યોજ્યા હતાં. આજે ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર પહોંચેલા ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઉમેદવારો ગાંધીનગર વિદ્યા સમિક્ષા કેન્દ્ર પર શિક્ષણ સચિવને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા સુત્રોચ્ચારો કર્યા હતા.પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.


પોલીસે કરી અટકાયત


TET-TAT પાસ ઉમેદવારોએ જોરદાર વિરોધ પ્રદર્શન કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા ઉમેદવારોની ટિંગાટોળી કરીને લઈ જવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો જણાવે છે કે, સરકારને વિનંતિ કે કાયમી શિક્ષકોની ભરતી કરો આ જ્ઞાન સહાયકના ગતકડાં નહી ચાલે. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ટેટ અને ટાટ પાસ બેરોજગાર ઉમેદવારોના હિતમાં કરાર આધારિત શિક્ષકોની જગ્યાએ વહેલામાં વહેલી તકે કાયમી શિક્ષકોને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. રાજય શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયક ભરતીના કારણે અગાઉ ટેટ ટાટ પાસ કરેલ વિધાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. આ જ્ઞાન સહાયક યોજના અમલમાં આવશે તો કેટલાય વર્ષોથી રાત દિવસ મહેનત કરીને ટેટ ટાટ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારોનું સરકારી શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઇ જશે અને તેમનું ભાવિ અંધકારમય બની જશે. તેમણે કહ્યું કે અમે ભાવિ શિક્ષકો છે. અમે આતંકવાદી નથી અમારી સાથે આવું વર્તન ના કરો. આવી રીતે અમારા શર્ટ ફાડી, ઢસડીને લઈ આવો છો. પોલીસને આગળ કરો છો. શું સરકારમાં આટલી મર્દાનગી નથી કે અમારા સવાલો સાંભળે. બિહારમાં આપણી ટેટ પરિક્ષા પુર્ણ થઈ પછી ટેટની પરિક્ષા લેવાઈ ત્યાં નિયુક્તિ પણ મળી ગઈ છે. અહીં અમને રોડ પર ઢસેડવામાં આવે છે. ભાવી શિક્ષકો સામે જ કાયદાનો કોરડો ઉગામતાં સરકાર સામે પણ સવાલો ઉભા થયાં છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.