તહેવારોની સીઝનમાં બસ સ્ટેશનોમાં મોટી ભીડ, બસ ન મળતા અને રિઝર્વશન કેન્સલ થતા લોકોમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:20:30

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને વળી દિવાળી વેકેશનનો પણ પ્રારંભ થઈ ગયો છે. તહેવારોને લઈ રાજ્યના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરાથી મોટા પ્રમાણમાં લોકો પોતાના ગામ જવા માટે ઉમટી રહ્યા છે. જો કે બસ સ્ટેશનમાં પુરતી સંખ્યામાં બસ ન હોવાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને રાજ્ય સરકાર પર માંછલા ધોયા હતા.


બસનું રિઝર્વશન કેન્સલ થતા લોકોમાં રોષ


દિવાળીના તહેવારની શરૂઆત સાથે વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધારાનાની બસ દોડવાઈ રહી છે. જો કે તેમ છતાં પણ લોકોને બસમાં જગ્યા ન મળતા તેમણે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેટલાક મુસાફરોએ 15 દિવસ પહેલા બસનું રિઝર્વશન કરાવી રાખ્યું હતું તેમ છતાં છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.


તમામ બસ મુસાફરોથી ભરચક 


ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો દિવાળી આવતા વતનની વાટ પકડી રહ્યા છે. જો કે તમામ મોટા બસ સ્ટેશનોમાં કીડીયારૂ ઉભરાયું હોય તેમ મુસાફરોના ટોળા જોવા મળી રહ્યા છે. તમામ રૂટની બસો મુસાફરોથી ભરચક જતી હોવાથી પરિવાર સાથે નિકળેલા લોકોની હાલત કફોળી થઈ હતી.  અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ હતી. ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા મજબૂર બન્યા હતાં. ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે.



૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .