તહેવારોની સીઝનમાં બસ સ્ટેશનોમાં મોટી ભીડ, બસ ન મળતા અને રિઝર્વશન કેન્સલ થતા લોકોમાં રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 15:20:30

તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને વળી દિવાળી વેકેશનનો પણ પ્રારંભ થઈ ગયો છે. તહેવારોને લઈ રાજ્યના તમામ મોટા શહેરોમાંથી લોકો વતન તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરાથી મોટા પ્રમાણમાં લોકો પોતાના ગામ જવા માટે ઉમટી રહ્યા છે. જો કે બસ સ્ટેશનમાં પુરતી સંખ્યામાં બસ ન હોવાથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો અને રાજ્ય સરકાર પર માંછલા ધોયા હતા.


બસનું રિઝર્વશન કેન્સલ થતા લોકોમાં રોષ


દિવાળીના તહેવારની શરૂઆત સાથે વતનમાં જવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. એસટી નિગમ દ્વારા વધારાનાની બસ દોડવાઈ રહી છે. જો કે તેમ છતાં પણ લોકોને બસમાં જગ્યા ન મળતા તેમણે રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કેટલાક મુસાફરોએ 15 દિવસ પહેલા બસનું રિઝર્વશન કરાવી રાખ્યું હતું તેમ છતાં છેલ્લી ઘડીએ બસનું રિઝર્વશન કેન્સલ થતાં મુસાફરોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.


તમામ બસ મુસાફરોથી ભરચક 


ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો દિવાળી આવતા વતનની વાટ પકડી રહ્યા છે. જો કે તમામ મોટા બસ સ્ટેશનોમાં કીડીયારૂ ઉભરાયું હોય તેમ મુસાફરોના ટોળા જોવા મળી રહ્યા છે. તમામ રૂટની બસો મુસાફરોથી ભરચક જતી હોવાથી પરિવાર સાથે નિકળેલા લોકોની હાલત કફોળી થઈ હતી.  અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી હતી. STની સૌરાષ્ટ્ર તરફ જતી તમામ બસો હાઉસફુલ થઇ ગઇ હતી. ST બસ ન મળતા પ્રવાસીઓ ડબલ ભાડું આપીને ખાનગી બસમાં જવા મજબૂર બન્યા હતાં. ખાનગી ટ્રાવેલ્સની બસોમાં ભીડ વધતા ખાનગી ટ્રાવેલ્સવાળાઓએ ટિકિટના ભાવમાં વધારો કરી દીધો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.