Diwaliનો તહેવાર Gujarat Tourism ક્ષેત્રને ફળ્યો! Statue of Unity, Ambaji સહિતના પર્યટક સ્થળોમાં ઉમટ્યા લાખો પ્રવાસીઓ


  • Published By :
  • Published Date : 2023-11-23 12:27:20

દિવાળી દરમિયાન એસ.ટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેને કારણે દિવાળી એસ.ટી વિભાગને ફળી છે તેવા સમાચારો તો મળ્યા હશે. દિવાળી ન માત્ર એસટી વિભાગને ફળી છે પરંતુ ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોને ફળી છે. ગુજરાતમાં આવેલા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ દિવાળીની રજાઓ દરમિયાન 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42, 75, 900થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી.  

Ambaji Temple

Planning a tour of Sardar Patel's Statue of Unity? Check ticket price,  entry timings, other details | Mint

ગુજરાતના પ્રવાસન સ્થળોને જોવા માટે વધ્યો ક્રેઝ!

ગુજરાતીઓને ફરવાના શોખીન માનવામાં આવે છે. દિવાળી સમયે અનેક લોકો રાજ્યની બહાર ફરવા જતા હોય છે તો કોઈ ગુજરાતમાં જ ફરી દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પર્યટકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. અનેક પ્રવાસન સ્થળઆકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્મૃતિ વન, ગિરનાર રોપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, દાંડી સ્મારકની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તે ઉપરાંત સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત ભક્તોએ લીધી હતી. તે ઉપરાંત સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર પણ આકર્ષણનું કેન્દ્ર દિવાળીના તહેવારો દરમિયાન વધ્યું હતું. 

Dwarka With Somnath 3 Nights 4 Days Holiday Tour Package | Flamingo Travels

Dwarka Tourism | Dwarka Tourist Places | Dwarka Travel Guide | Dwarka  Weather | Dwarka Photos | Travel.India.com

Atal Bridge – Sabarmati Riverfront

ક્યાંની કેટલા લોકોએ લીધી મુલાકાત? 

એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 3,03,800થી વધારે લોકોએ લીધી હતી. ભૂજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત 36,300થી વધારે લોકોએ લીધી છે. દાંડી સ્મારકને જોવા માટે 27,900થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા. તો 31900થી વધારે લોકોએ સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ દાદાના આશીર્વાદ 4,87,900થી વધારે દર્શનાર્થીઓએ લીધી છે. અંબાજી મંદિરમાં 6 લાખ 35 હજાર 700થી વધારે દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. પાવાગઢ મંદિરની મુલાકાતે 5,25,400થી વધારે આવ્યા છે. દ્વારકાધિશના દર્શન 6,18,400થી વધારે ભક્તોએ કર્યા છે. અમદાવાદમાં આવેલા અટલ બ્રિજની 1,81,692 જેટલા લોકોએ મુલાકાત લીધી. ઉપરાંત કાંકરિયા તળાવ જોવા માટે 4,45,140થી વધારે લોકો આવ્યા હતા.




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!