ગુજરાતમાં H3N2ને કારણે થયું મહિલા દર્દીનું મોત! વડોદરામાં દર્દીનું મોત થતા લોકોમાં વ્યાપ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-03-14 14:04:59

કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક દર્દીઓ H3N2 વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા આ વાયરસને કારણે અંદાજીત બે લોકોના મોત થયા હતા ત્યારે આજે ગુજરાતમાં પણ આને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. વડોદરામાં 58 વર્ષીય મહિલા દર્દીનું આને કારણે મોત નિપજ્યું છે આ વાયરસને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે. સારવાર માટે બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગુજરાતમાં H3N2ને કારણે મોત થતાં લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.


H3N2ના કારણે વડોદરામાં થયું મહિલાનું મોત!

દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસને કારણે લોકોની ચિંતા વધી છે તો બીજી તરફ H3N2ના કેસ પણ સતત વધી રહ્યા છે. H3N2ના અનેક દર્દીઓ નોંધાયા છે. થોડા દિવસ પહેલા આને કારણે 2 લોકોના મોત થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. વડોદરાના દર્દીનું મોત થયું છે. આ વાયરસનો ગુજરાતમાં પગપેસારો થઈ ગયો છે. જેને લઈ ચિંતા વધી છે. 


કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વધતા કેસને લઈ સતર્ક 

H3N2ના લક્ષણોની વાત કરીએ તો તેમાં શરદી ખાંસી, તાવ વગેરે અનેક દિવસો સુધી નથી જતા. બેવડી ઋતુને કારણે અનેક લોકો વાયરલના શિકાર બની રહ્યા છે. શરદી ખાંસીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર સતર્ક બની છે તે ઉપરાંત રાજ્ય સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. વધતા દર્દીઓને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

           



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.