જેતપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાત મામલે કોળી સમાજ લડી લેવાના મૂડમાં, પોલીસને આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2023-09-11 18:04:02

રાજકોટ જિલ્લાના જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો હવે ઉગ્ર બન્યો છે. જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દયાબેન શંભુભાઈ સરીયા નામની મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. પરિવારજનો અને જ્ઞાતિ આગેવાનો સાથે એસપી તેમજ જેતપુર પોલીસને ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યો હોવાનું આવેદનપત્ર આપ્યું છે. પરિવારજનોએ આ સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયત્નો થઈ રહ્યા હોવાનો પણ પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે. જો કે હવે આ સમગ્ર મામલે કોળી સમાજ મેદાને આવ્યો છે, કોળી સમાજના આગેવાનોએ  પોલીસને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મામલે જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર તેમજ ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 


શું કહ્યું કોળી આગેવાનોએ?


મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરીયાના આપઘાતને આજે 6 દિવસ થયેલ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ના થતા કોળી સમાજના ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર, હિતેશ ઠાકોર તેમજ આશિષ મકવાણા તેમજ અન્ય આગેવાનોએ જેતપુર ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં આગેવાનોએ જણાવ્યું હતુ કે,  પોલીસે આપઘાતની વાત પણ છુપાવી હતી. પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે.  થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી હતી. તેમને ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે તેઓ ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. તેમણે આપઘાત કરતા પહેલા કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહ્યા છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા.


મંત્રી કુંવરજી બાવળીયા કરી હતી બેઠક 


મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. બે દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો અને દયાબેનના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી. ત્યાર બાદ પણ કોઈ કાર્યવાહી ના થતા પોલીસ પર પણ આક્ષેપો ઉઠાવવામાં આવી રહ્યા છે. મંત્રી કુંવરજી બાવળીયાએ બેઠક કરી તટસ્થ તપાસ માટે સૂચના આપી હતી. ત્યાર બાદ અનેક રજૂઆતો તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહીના થતાં કોળી સમાજના આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી મેદાને આવ્યા છે. આ અંગે કેબિનેટ પ્રધાને જણાવેલ કે, 'આપઘાતના બનાવમાં કોઈ દોષિતોને છોડવામાં નહિ આવે અને જો પોલીસની તપાસ યોગ્ય નહીં લાગે તો બે ત્રણ દિવસમાં અન્ય એજન્સી પાસે તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.  


શું છે સમગ્ર મામલો?


જસદણ તાલુકાના શિવરાજપુર ગામના વતની અને મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરીયા(25)એ પોલીસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેણીએ આપઘાત કરતા પૂર્વે કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને આપઘાત કરવા માટે છત સાથે ચૂંદડીનો ગાળિયો બનાવ્યો હતો. તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહી છે તેની ત્રણ કોન્સ્ટેબલને જાણ કરી હોવાની ચેટ તેમજ વિડિયો મીડિયાને આપ્યા હતા. આ ઘટના બાદ દયાબેન સરીયાના પરિવારજનોએ ત્રણેય કોન્સ્ટેબલ સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. પરિવારજનોએ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઠંડુ વલણ આપનાવતા પોલીસ પર પણ ભીનું સંકેલનાનો આરોપ લગાવ્યો હતો. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!