ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ! જાણો વાતાવરણને લઈ હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાત Ambalal Patelએ શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-01-31 10:20:14

જો કોઈ તમને પૂછે કે હમણાં કઈ સીઝન ચાલી રહી છે તો તમે કહેશો કે શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ બપોરના સમયે આકરો તડકો હોય છે. તડકો એટલો હોય છે લાગે જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય. સાચી વાત છે સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો હોય છે જેને કારણે ઠંડીનો અહેસાસ થાય છે પરંતુ બપોરના સમયે તાપ લાગવા લાગે છે. સામાન્ય રીતે શિયાળાના સમયે આવતો તડકો લોકોને પસંદ હોય છે, ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તડકો શોધતા હોય છે પરંતુ હમણાં બપોરના સમયે જે પ્રમાણે તડકો પડે છે તે આકરો હોય છે. ત્યારે આવનાર દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.



આવનાર દિવસોમાં થઈ શકે છે બેવડી ઋતુનો અહેસાસ 

જાન્યુઆરી મહિનામાં ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ હતી. શિયાળાની શરૂઆત થઈ ત્યારે કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અમુભવ ન થયો હતો. જાન્યુઆરી મહિનામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી હતી. આગાહી સાંભળતા જ ધરતીપુત્રો ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ જાન્યુઆરીની શરૂઆતથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. આખો દિવસ તાપમાન ઠંડુ રહેતું હતું પરંતુ ફેબ્રુઆરીની શરૂઆત પહેલા બપોરે ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જે તડકાની રાહ શિયાળાના દિવસોમાં જોવાતી હતી તે હવે આકરો લાગવા લાગ્યો છે. આવનાર દિવસોમાં તાપમાનમાં વધારો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. 24 કલાક બાદ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો નોંધાઇ શકે છે. 


ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

એવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં ગરમીનો અનુભવ થઈ શકે છે. તાપમાન ઉંચકાઈ શકે છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું, વડોદરાનું લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી, વલસાડનું 14.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 13.4 ડિગ્રી, નલિયાનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે. સુરતનું તાપમાન 17 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. રાજકોટનું તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું છે. 



અંબાલાલ પટેલે કરી આ આગાહી... 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ કાકાની આગાહી અનુસાર ફ્રેબુઆરીમાં જાન્યુઆરી મહિના કરતા વધારે ઠંડી પડશે. ઠંડીનો વધુ એક રાઉન્ડ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે તેવી આગાહી કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે 18, 19, 20 અને 21 ફેબ્રુઆરીના દિવસોમાં વાદળો આવશે અને ધીરે-ધીરે ઠંડી ઘટશે. ફેબ્રુઆરી દરમિયાન માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!