અલીગઢના ભાજપના મહિલા નેતા સામે ફતવો જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-03 12:57:20

ઉત્તર પ્રદેશના અલીગઢના ભારતીય જનતા પાર્ટીની નેતા રૂબી ખાન હમણા વિવાદમાં ફસાયેલા છે. વાત એમ છે કે, ગણેશ ચતુર્થીના અવસર પર તેમણે વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરી હતી. મુસલમાન સમાજના લોકોને રૂબી ખાનનું આ કામ નહોતું ગમ્યું. તેના સમાજના મુફ્તીએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડી દીધો હતો. ફતવો જાહેર થયા બાદ સમગ્ર મામલો ગરમાયો હતો. રૂબીના સમાજના લોકોએ તેમના પર અનેક આરોપો લગાવ્યા હતા. રૂબી ખાને વળતો જવાબ આપતા કહ્યું કે, "સાચા મુસલમાન આવી વાતો નથી કરતા."


અલીગઢની ભારતીય જનતા પાર્ટીની મુસ્લિમ મહિલાએ ગણપતિની પૂજા કરતા દેવબંદના મુફ્તીએ મહિલા સામે ફતવો જાહેર કર્યો છે. ઘરમાં ગણપતિની સ્થાપના કરનાર રૂબી ખાન સામે ફતવો જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


સમગ્ર મામલે ભાજપના મહિલા નેતાએ શું કહ્યું?

જ્યારે રૂબી ખાનને વિવાદ મામલે પોતાનું નિવેદન આપી જણાવ્યું હતું કે, "ગણપતિ જ્ઞાનની સાથે સુખ અને સમૃદ્ધિના દેવતા છે. જે લોકો ફતવો જાહેર કરી રહ્યા છે તેઓ ભારતમાં સાંપ્રદાયિક એકતાને ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોઈ પણ મારી સામે ફતવો જાહેર કરે તો મને તેનાથી કોઈ ફરક નથી પડતો. મારા સામે પોસ્ટરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતું મને કોઈ તકલીફ નથી. તેમને જે કરવું હોય તે તેઓ કરે મારે જે કરવું છે તે હું કરીશ." 



ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપઃ મુફ્તી

ત્યારે ફતવો જાહેર કરનાર મુફ્તીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ઈસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય કોઈ સામે શીશ નમાવવું પાપ છે. જો આજે એક મહિલાએ આવું કામ કર્યું છે તો કાલે અન્ય મુસ્લિમો પણ આવી રીતે કરશે. તેમની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે."


દેશના બંધારણની અનુસૂચિ 25થી 28 ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે. ભારત એક ધર્મનિર્પેક્ષ દેશ છે, રાજ્યોનો કોઈ ધર્મ નથી પરંતુ તમામ નાગરિકોને કોઈ પણ ધર્મમાં વિશ્વાસ રાખવા અને તેની પસંદ અનુસાર ઉપાસના કરવા માટે પૂર્ણ સ્વતંત્રતા આપે છે.




નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.