આવી ગઈ બાપાની સવારી! Maharastraના લાલબાગચા રાજાની પહેલી ઝાંખી આવી સામે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-16 14:12:38

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. ભારતને ઉત્સવાનો દેશ પણ કહેવાય છે. વિવિધ રાજ્યોમાં ઉજવાતા તહેવારો ભારતભરમાં પ્રચલિત થઈ જતા હોય છે. જેમ ગુજરાતની નવરાત્રી ફેમસ છે તેમ મહારાષ્ટ્રનો ગણપતિ મહોત્સવ ફેમસ છે. રાજસ્થાનમાં ગણગોર તો બંગાળમાં દુર્ગાપૂજા ફેમસ છે. ત્ચારે હવે ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. 

લાલબાગના રાજાની પ્રથમ ઝાંખી જોવા મળી 

19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થવાની છે. બાપાનું સ્વાગત કરવા ભક્તો ઉત્સાહિત છે. ભક્તોનો ઉત્સાહ ત્યારે બમણો થયો જ્યારે મુંબઈના લાલબાગચા રાજાની પ્રથમ ઝાંખી સામે આવી. આ પંડાલમાં વર્ષોવર્ષથી લાંબી કતારો જોવા મળતી હોય છે. આ પંડાલમાં ભક્તોની આસ્થા અતૂટ છે જેને કારણે જ લાલબાગ ગણપતિના દર્શન કરવા સામાન્ય માણસથી લઈ મોટી હસ્તીઓ, ફિલ્મ સ્ટાર, ઉદ્યોગપતિઓ આવતા હોય છે. બાપાની પ્રથમ ઝાંખી જોઈ ભક્તોનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો છે.            



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.