બનાસકાંઠાના આ ગામમાં પતંગબાજી પર છે પ્રતિબંધ, નિયમ તોડનારાને થાય છે 11 હજારનો દંડ, જાણો શા માટે


  • Published By :
  • Published Date : 2023-01-15 13:37:35

સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ભારે હર્ષોલ્લાસભેર મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર યુવાનોમાં સૌથી વધું લોકપ્રિય છે. લોકો પતંગબાજી માટે કાતિલ ઠંડીમાં પણ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ચઢી જાય છે. જો  કે રાજ્યનું એક ગામ એવું પણ છે જ્યાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે.  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં જો કોઈ પતંગ ચઢાવે તો તેને 11 હજારનો દંડ ફટકારવામાં આવે છે.


વર્ષ 1991થી જ છે પ્રતિબંધ 


ફતેપુરા  ગામના વડીલો દ્વારા 1991માં આ નિયમ કરવામાં આવ્યો હતો, જો કોઈ નિયમની વિરુદ્ધમાં જઈને ગામમાં પતંગ ચગાવવાની કોશિશ કરે તો દંડ ફટકારવામાં આવે છે. જે દંડની રકમ રૂપિયા 11 હજાર નક્કી કરવામાં આવી છે અને તે ઉપરાંત 5 બોરી અનાજનો ધર્માદો પણ કરવો પડે છે.


શા માટે છે કડક નિયમ


ગામ લોકોના જણાવ્યા પ્રમાણે આ ગામના ઘરોના ધાબા પર કઠેડા નથી, મકાન પાસેથી વીજળીના તાર પસાર થાય છે. વળી વીજ કરંટ લાગવાથી અને ધાબા પરથી પડી જવાથી ભૂતકાળમાં કેટલાક લોકોના મોત પણ થયા થે. આ કારણે ગામ લોકોએ સર્વસંમતિથી ગામમાં પતંગ નહીં ચઢાવવાનો નિર્ણય કર્યો હતો અને આ નિયમનું આજે પણ પાલન કરવામાં આવે છે. 


ઉત્તરાયણ કેવી રીતે માનાવાય છે?


ફતેપુરા ગામમાં ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી લોકો પતંગ ચઢાવવાના બદલે  યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે. જ્યારે ગામના વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને કુતરા માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.