અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો, 14 લોકોની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-27 21:09:43

અમદાવાદ શહેરમાં શાંતિ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આખી રાત શહેરની પોલીસ એલર્ટ મોડમાં રહેતી હોય છે પણ બેફામ બનેલા કેટલાક અસામાજીક તત્વો આપણી સુરક્ષા કરતી પોલીસ પર જ હુમલાઓ કરે છે. અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં સરકારી અધિકારી અને કર્મચારીઓ પર હુમલાના 3 બનાવ બન્યા છે. આજે  વહેલી સવારે ચાલી રહેલા ગરબા બંધ કરાવવા પોલીસની ટીમ પહોંચી ત્યારે 14 લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. શાહીબાગ પોલીસે ગુનો નોંધી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. 


વહેલી સવાર સુધી ગરબા ચાલુ રહેતા કાર્યવાહી


શાહીબાગ પોલીસ સ્ટેશનમાં PCR વાનમાં નોકરી કરતા ASI અરવિંદસિંહ ચાવડા ડ્રાઈવર સાથે કંટ્રોલ રૂમમાંથી મળેલા મેસેજ માટે હીરાલાલની ચાલી પાસે ગરબા બંધ કરાવવા ગયા હતા. ગરબા બંધ કરવા પરમિશન લેનાર શૈલેષ ઠાકોરને લાઉડ સ્પીકર બંધ કરવા જાણ કરી ત્યારે ગરબા રમતા મહિલા અને પુરુષો પોલીસની ગાડી પાસે બહાર આવી ગયા હતા. બધા બહાર આવતા ASI અરવિંદસિંહે પોલીસની અન્ય ગાડીઓ પણ બોલાવી હતી. જોકે આ ગરબા યોજાયા હતા તેની પરમિશન પણ પોલીસ દ્વારા આપવામાં આવી હતી. જેનો સમય રાત્રિના દસ વાગ્યા સુધીનો હતો. પરંતુ વહેલી સવાર સુધી આ ગરબા ચાલુ રહેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રુમને મેસેજ કર્યો હતો. જેના આધારે પોલીસની ટીમ આ ગરબા બંધ કરાવવા માટે પહોંચી હતી. જ્યાં ગરબા બંધ કરાવવા પહોચેલી પોલીસની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલાની ઘટનાને પગલે અન્ય પોલીસ ટીમો પણ સ્થળ પર પહોંચી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી.


ટોળાએ પોલીસ પર કર્યો હુમલો


શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિતે ગરબાનું આયોજન કરવા માં આવ્યું હતું. શાહીબાગ પોલીસની ટીમ ગરબા બંધ કરાવવા પહોંચી ત્યારે ટોળું ભેગું થયું હતું. ટોળામાંથી ભાવના નામની મહિલાએ કહ્યું કે, ‘આ પોલીસવાળાઓને અહીંથી જવા દેવા નથી. આજે તો પૂરા જ કરી દેવા છે’ આ દરમિયાન ચિરાગ નામના યુવકે લાકડાના દંડાથી જાનથી મારી નાખવાના ઈરાદે માથા પર એક ફટકો માર્યો અને બીજો ફટકો મારવા જતા ASI અરવિંદસિંહે હાથ આગળ કરતા હાથ પર દંડો માર્યો હતો. ત્યારબાદ અન્ય લોકો ભેગા મળીને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. અન્ય પોલીસકર્મીઓ છોડવવા વચ્ચે પડતા તેમની સાથે પણ ધક્કામુક્કી કરી હતી. અરવિંદસિંહને માથાના ભાગે દંડો વાગ્યો હોવાથી લોહી નીકળી રહ્યું હતું જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


14 લોકો સામે કાર્યવાહી


પોલીસ પર હુમલા બાદ પોલીસે ગરબા આયોજક, ચાર મહિલાઓ સહિત 14 લોકો સામે પોલીસ પર હુમલો કરવા બદલ કલમ 307, 332, 353, 186, 143, 147, 149, 135(1) મુજબ ગુનો નોધોવામાં આવ્યો છે. ગુનો નોંધ્યા બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી 14 આરોપીઓ પૈકી 3 મહિલા સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય 2 આરોપી ફરાર છે જેની શોધખોળ ચાલી રહી છે.


શાહીબાગમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના


ઉલ્લેખનિય છે કે થોડા સમયની અંદર શાહીબાગ વિસ્તારમાં આ બીજા હુમલાની ઘટના સામે આવી છે. જે રીતે કોર્પોરેશનના અધિકારીઓ પર હુમલો કર્યો અને ત્યારબાદ હવે પોલીસ પર પણ હુમલા થવાની ઘટના સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે . જાણે કે શાહીબાગ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ જ ન હોય તે રીતે આ પ્રકારની ઘટનાઓ બને તે ગંભીર બાબત કહીં શકાય.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!