મહીસાગરમાં સાવ નજીવી બાબતે દલિત પર જીવલેણ હુમલો, હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-06-12 11:08:05

ગુજરાતમાં દલિતો પર હુમલા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, મહીસાગર જિલ્લામાં નજીવી બાબતે એક દલિત પર જીવલેણ હુમલો થયો છે. મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા નિવૃત્ત દલિત બેંક મેનેજર પર ઝાડની માલિકીની બાબતને લઈને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં માથામાં ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં વૃદ્ધને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દલિત મણીભાઈ વણકર પર હુમલા બાદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.


શા માટે થયો હુમલો?


દલિત પર હુમલા અંગે સ્થાનિક લોકો પાસેથી મળતી જાણકારી મુજબ કોયડમ ગામમાં મણીભાઈ વણકર નિવૃત્ત બેંક મેનેજર તરીકે જીવન ગુજારે છે અને તેમનું ખેતર ગામ નજીક  આવેલું છે. આ ખેતરના શેઢા ઉપર લીમડાના ઝાડની માલિકીનો બાજુના ખેતર માલિક સાથે વિવાદ ચાલી રહ્યો હતો. ગ્રામજનો દ્વારા ઝાડના માલિકી હકનો નિકાલ કરીને તે મણીભાઈના હોવાનું કહેવાયું હતું. સમાધાન થયાના બીજા દિવસે મણીભાઈ ઝાડ વેચાણે આપવા માટે ઝાડ રાખનારને બતાવવા ગયા. ત્યારે દાંતીયા ગામના અને પડોશી ખેતરના માલિક બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદાએ ગાળો બોલવાનું શરૂ કર્યું હતું અને કહેતા હતા કે આ શેઢા વચ્ચે આવેલા ઝાડ અમારી માલીકીના છે અને ગામના માણસોએ જે ન્યાય કર્યો છે તે ખોટો છે. તેમ કહીં બાબુ બારીયા જાતિવિષયક ગાળો બોલવા લાગ્યો હતો. જો કે મણીભાઈએ જાતિ વિશે ગમે તેમ નહીં બોલવાનું કહેતા બાબુ પ્રતાપ બારીયા એકદમ ઉશ્કેરાઇ ગયો અને લોખંડની પાઇપ વડે નિવૃત્ત બેંક મેનેજર પર હુમલો કરતા ડાબા હાથના બાવળા ઉપર મારી દીધી હતી. તેમજ પાઇપનો બીજો ફટકો માથાના ભાગે મારવા જતા વૃદ્ધ નમી જતા માથાના પાછળના ડાબી બાજુના ભાગે વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી બાબુ બારીયા ત્યાંથી ભાગી ગયો. જોકે તેની માતા અને પત્નીએ ધમકી આપી કે હવે ઝાડ લેવા આવીશ તો જાનથી મારી નાખીશું. તેમ કહી જાતિ વિષયક શબ્દો બોલી જતા રહ્યા હતા


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ


હુમલા બાદ ઘાયલ મણીલાલ વણકરને તાત્કાલિક 108 મારફતે વિરપુરના સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં દલિત પ્રૌઢની સારવાર ચાલી રહી છે. જે બાદ વૃદ્ધે હુમલો કરનાર બાબુ પ્રતાપ બારીયા તથા તેની માતા હીરા બારીયા તેમજ તેની પત્ની નંદા વિરુદ્ધ વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ હુમલો કરાનારા  બાબુ પ્રતાપ બારીયાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.