Farmers protest: ખનૌરી બોર્ડર પર ગોળી વાગતાં ખેડૂતનું મોત, CM ભગવંત માને કહ્યું દોષિતો સામે નોંધાશે FIR


  • Published By :
  • Published Date : 2024-02-21 22:30:28

પંજાબ અને હરિયાણાના ખેડૂતો MSP અને અન્ય માંગણીઓ માટે વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર બુધવારે 21 વર્ષીય ખેડૂતનું મોત થયું હતું. હરિયાણા બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોનો દાવો છે કે બુધવારે પોલીસ સાથેની અથડામણ દરમિયાન ખેડૂતનું મોત થયું હતું. જોકે, પોલીસે આ દાવાને અફવા ગણાવીને ફગાવી દીધી છે.


ગામમાં શોકનો માહોલ


હરિયાણાના સંગરુરની ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા 21 વર્ષીય શુભકરણ સિંહનું મોત થયું છે. આ યુવાન ભટિંડાના જિલ્લાના બાલો ગામનો વતની હતો અને તેના પિતાનું નામ ચરણજીત સિંહ છે.મૃતકના મૃતદેહને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. ગોળી વાગવાથી યુવકનું મોત થયું હોવાનું કહેવાય છે. શુભકરણ બે બહેનનો એકમાત્ર ભાઈ હતો. બુધવારે તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં આક્રોશ વ્યાપી ગયો હતો. ગામમાં શોકનો માહોલ છવાયો હતો.


ખેડૂત નેતાએ કરી મોતની પુષ્ટી


ખેડૂત નેતા બલદેવ સિરસાના જણાવ્યા અનુસાર, ભટિંડાના રહેવાસી 21 વર્ષીય શુભકરણ સિંહનું સંગરુર-જીંદને જોડતી ખનૌરી બોર્ડર પર મૃત્યુ થયું છે. પટિયાલાની રાજીન્દર હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ એચએસ રેખીનું કહેવું છે કે ત્રણ લોકોને ખનૌરીથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એકનું મૃત્યુ થયું. રેખીનું કહેવું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેના માથા પર ઈજાના નિશાન હતા જ્યારે અન્ય બે લોકોની હાલત સ્થિર છે. જોકે હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓએ હજુ સુધી સરહદ પર કોઈ વિરોધ કરનારના મોતની જાણકારી મળી નથી.  


CM ભગવંત માને શું કહ્યું?


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખનૌરી બોર્ડર પર ખેડૂતોના વિરોધ દરમિયાન 21 વર્ષના ખેડૂતના મોત પર એક વીડિયો જાહેર કરીને શોક વ્યક્ત કર્યો છે. ભગવંત માને કહ્યું કે આજે ખનૌરી બોર્ડર પર એક ઘટના બની, 21 વર્ષના શુભકરણનું મોત થયું. જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મને હંસ થઈ ગયો. હું ખૂબ જ દુઃખી છું કે શુભકરણનું 21 વર્ષની વયે અવસાન થયું. તેની માતાનું અવસાન થયું હતું અને તેની દાદીએ તેને ઉછેર્યો હતો. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો.


'દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાશે'


મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું કે શુભકરણ આંદોલનમાં કોઈ ફોટો પડાવવા ગયો નહોતો. તે પોતાના પાકના વાજબી ભાવની માંગ કરવા માટે ત્યાં ગયો હતો. શુભકરણના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ એફઆઈઆર નોંધવામાં આવશે અને તપાસના આદેશ આપવામાં આવશે. શુભકરણના મોત માટે જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પંજાબ સરકાર શુભકરણના પરિવારને આર્થિક મદદ પણ કરશે.



ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી વ્હાઇટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે સાથે જ તેમણે ટેરિફને લઇને ભારતને આડેહાથ લીધું છે . તો આ બાજુ યુએસનું પ્રતિનિધિ મંડળ કે જે બ્રેન્ડન લીન્ચના નેતૃત્વમાં ભારત આવ્યું હતું તે હવે કોઈ પણ ફળશ્રુતી વગર પાછું જઈ ચૂક્યું છે. તો હવે જોઈએ ૨જી એપ્રિલના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાદે છે કે કેમ.

પીએમ મોદી આખરે ૧૨ વર્ષના અંતે RSSના મુખ્યાલય કેશવ કુંજ ખાતે નાગપુર પહોંચ્યા છે. છેલ્લે , જુલાઈ ૨૦૧૩માં વડાપ્રધાન મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નાગપુર પહોંચ્યા હતા. ખુબ લાંબા સમયથી નવા બીજેપી અધ્યક્ષની નિમણુંક બાકી છે . તેને લઈને ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. સાથે જ ઘણા મહત્વના રાજ્યોના પ્રદેશપ્રમુખોની નિમણુંક પણ બાકી છે તેને લઇને પણ ચર્ચા હાથ ધરાઈ શકે છે .

સામાન્ય રીતે વિકસિત અથવા અવિકસિત દેશોના લોકો મેડિકલ ખર્ચના પરિબળને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ માટે ભારતને પસંદ કરે છે. જો કે આ અમદાવાદમાં થયેલા મેડિકલ ટુરિઝમના તાજેતરના ઉદાહરણથી તદ્દન વિપરીત છે. ડૉ. પૉલ જેસન ગ્રેનેટ, પેન્સિલવેનિયાના જાણીતા ટ્રોમા સર્જનને હાર્ટની તકલીફ હતી, જેમાં સર્જરીની જરૂર હતી. વધુ આરામદાયક જીવનશૈલી સાથે પ્રખ્યાત સર્જન હોવાને કારણે, અમેરિકન સર્જન અમેરિકામાં ગમે ત્યાંની કોઈપણ હોસ્પિટલ પસંદ કરી શકે છે, ત્યાં તેમની સારવાર પણ મફત થઈ હોત, તેમ છતાં તેમણે અમદાવાદની પસંદગી કરી.

દિલ્હીથી અરવિંદ કેજરીવાલનો વિક્રમ ઠાકોરને ફોન આવ્યો. અને ચર્ચાઓ શરુ થઈ કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જોડાશે અને એ પણ આમ આદમી પાર્ટીમાં. અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે