MLA કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતોની દિયોદરથી ગાંધીનગર સુધી ન્યાય યાત્રા, હજારો ખેડૂતો જોડાયા


  • Published By :
  • Published Date : 2023-08-10 15:25:07

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોએ  સાણદરથી ગાંધીનગર સુધીના ન્યાય યાત્રા શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.


MLA કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ન્યાય યાત્રા 


ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે.


કાર્યક્રમમાં ખેડૂતોનું અપમાન


ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ ધારાસભ્ય કેશાજી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના ઇશારે મારા પર હુમલો કરાયો હતો, હુમલો કરનાર કેશાજી ચૌહાણનો ભાણેજ છે. સ્વ. અટલજીના નામે સરકારી કાર્યક્રમમાં ખેડૂતોનું અપમાન કરાયું છે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ હોવાથી અમે આવ્યા હતા. અમારી પાસે સૂચનો માંગ્યા હોવાથી અમે બોલ્યા હતા. અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. આ મામલે કલેકટરને રજૂઆત પણ કરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.