ખેડૂતોની ન્યાય યાત્રામાં 18 ઓગષ્ટે જોડાશે રાકેશ ટિકૈત, BKU નેતાની એન્ટ્રીથી રાજકારણ ગરમાવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-08-14 15:47:55

બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધી શરૂ થયેલી ખેડૂતોની ન્યાય યાત્રા વધુ ઉગ્ર બને તેવી આશંકા છે.  બનાસકાંઠાના ખેડૂતોની આ પદયાત્રામાં હવે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને દિલ્હીના કિસાન આંદોલનથી જાણીતા બનેલા જાણીતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની પણ એન્ટ્રી થઈ છે. સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે નિકળેલી આ ખેડૂત ન્યાય યાત્રામાં 18 ઓગષ્ટના રોજ રાષ્ટ્રીય કિશાન નેતા રાકેશ ટિકૈત જોડાશે. ઉલ્લેખનિય છે કે દીયોદરથી નીકળેલી ખેડૂત ન્યાય યાત્રાનો આજે ચોથો દિવસ છે.  


ખેડૂતોએ શા માટે યોજી ન્યાયયાત્રા?


ભાજપના ધારાસભ્ય  કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં 7 ઓગષ્ટના રોજ દિયોદરમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થક અરજણ નામના શખ્સે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. ત્યાર બાદ હજારો ખેડૂતોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણનાં રાજીનામાની માગ સાથે ખેડૂત આગેવાન અમરા ચૌધરીએ ખેડૂતો સાથે આજે સણાદરથી ગાંધીનગર સુધીની ન્યાય પદયાત્રા શરૂ કરી છે. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણની રાજીનામાની માગ કરશે. ન્યાય પદયાત્રામાં ખેડૂત આગેવાન અમરા ચૌધરીના સમર્થનમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.  ખેડૂત ન્યાય યાત્રામાં જોડાવા માટે રાકેશ ટિકૈતને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.