લાફાકાંડ મામલે ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં! ન્યાય માટે ખેડૂતોએ શરૂ કરી પદયાત્રા, કલમ 144 લાગુ કરાયા બાદ પણ પોતાની માગ પર છે મક્કમ


  • Published By :
  • Published Date : 2023-08-11 15:33:57

આપણે ત્યાં જય જવાન જય કિસાન નારો બોલવામાં આવે છે. પરંતુ ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ખેડૂતોની હાલત કફોળી બનતી જઈ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. લાફાકાંડને કારણે ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી. કેશાજી ચૌહાણના રાજીનામાની માગ સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. દિયોદરથી પગપાળા કરી ખેડૂતને ન્યાય મળે તે માટે પગપાળા કરી રહ્યા છે. મહત્વનું છે કે કેશાજીના સમર્થક દ્વારા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો ન્યાયની માગ સાથે ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. પરંતુ પોતાની માગ સાથે ખેડૂતો મક્કમ જોવા મળી રહ્યા છે.     

દિયોદર લાફકાંડ બાદ ખેડૂતોની પદયાત્રા

ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂતને મરાયા હતા થપ્પડ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોએ  સાણદરથી ગાંધીનગર સુધીના ન્યાય યાત્રા શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



ન્યાયની માગ સાથે ગાંધીનગર તરફ ખેડૂતો કરી રહ્યા છે આગેકૂચ

ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે. ત્યારે દિયોદરથી નીકળેલી આ ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ ખેડૂતો આગેકૂચ કરવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.