કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયું નુકસાન, સીએમ અને કૃષિમંત્રીને પાલ આંબલિયાએ લખ્યો પત્ર કહ્યું 48 કલાકની અંદર સર્વે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-17 13:56:56

જગતના તાતની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે... ત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે જગતના તાત પરેશાન થઈ ગયા છે.. ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે જલ્દી કરવામાં આવે તેવી માગ કિસાન કોંગ્રેસ સેલના ચેરમેન પાલ આંબલિયાએ કરી છે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને.. તેમણે આ મામલે પત્ર લખ્યો છે..

પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.. માવઠાને કારણે પાકને મોટા પાયે નુકસાન થયું છે તેવી ભીતિ સેવાઈ રહી છે.. પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકાર તેમની નુકસાનીનો સર્વે કરાવશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને આ બધા વચ્ચે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને સર્વેને લઈ પત્ર લખ્યો છે.48 થી 72 કલાકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.


પત્રમાં શેનો કરાયો ઉલ્લેખ 

પાલ આંબલિયાનું કહેવું છે કે અત્યારે પ્રી મોન્સુન ઍક્ટિવિટી ના કારણે રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે અને  અગાઉ 4 વાર માવઠું પણ પડી ચૂક્યું છે  માવઠા દરમિયાન નુકસાનીના સર્વેના નાટક કરવામાં આવ્યા પરંતુ ખેડૂતોને કોઈપણ પ્રકારનું વળતર ચુકવવામાં આવ્યું ન હતું. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે રાજ્યમાં ગત 48 કલાકમાં કમોસમી વરસાદ વરસ્યો છે અને 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. ત્યારે છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતમાં ખેડૂતો પહેલા અતિવૃષ્ટિ અને ત્યારબાદ 33થી 53 દિવસ સુધી વરસાદ ખેંચાવાના કારણે દુષ્કાળગ્રસ્ત સ્થિતિનો ભોગ બન્યા છે. અને હવે 4 વખત કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે.  


માવઠાને કારણે જગતના તાતને વેઠવી પડે નુકસાની 

મહત્વનું છે કે કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. કોઈ વખત માનવ સર્જીત આફતને કારણે તો કોઈ વખત કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે..     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.