સરકારના દાવાથી વિપરીત ખાતરની ભારે અછત, વડોદરાના કરજણમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબી કતારો


  • Published By :
  • Published Date : 2023-08-21 12:55:43

રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવણી શરૂ કરી છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતો હવે યુરિયા ખાતરને લઈ હાલાકી વેઠી રહ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ શહેરમાં ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી કતારો લગાવી ખાતર મેળવવા માટે રાહ જોવી પડે છે. આમ છતાંય ખાતર તો મળતું થતું જ નથી. આ પ્રકારની સ્થિતિ છેલ્લા ચાર દિવસથી વર્તાઈ રહી છે. ખેડૂતોએ હવે પાકમાં નુક્શાન વેઠવાની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા પણ લેવા માટે વિક્રેતાઓ ફરજ પાડી રહ્યાનો પણ રોષ વ્યાપી રહ્યો છે.


ખેડૂતોમાં ભારે રોષ 


જગતના તાત ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી ખાતર ડેપોમાંથી ખાતર નથી મળી રહ્યું છે. આ વ્યવસ્થા સામે હવે સવાલો ઉઠવા લાગ્યા છે. કરજણ શહેરમાં ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાંબા લાંબી કતારો સવારથી જોવા મળી રહી છે. વરસાદી વિરામ બાદ હવે ખેડૂતો પોતાના પાકને સાચવવા લાગ્યા છે અને આ કારણે તેમને ખાતરની જરૂરિયાત ઉભી થઇ છે. ઉલ્લેખનિય છે કે  યુરિયા ખાતરની અછતના મદ્દે રાજ્યના વિવિધ ભાગોમાં ખેડૂતોની ફરિયાદો ઉઠી છે. એક તરફ સરકાર એવો દાવો કરી રહી છે કે રાજ્યમાં ખાતરનો પુરતો જથ્થો છે તો બીજી તરફ રાજ્યના તમામ શહેરોમાં ખાતરના ડેપો બહાર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.


કૃષિ મંત્રી રાઘવજી પટેલનો દાવો કેટલો સાચો?


રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ખેડૂતલક્ષી કોઇપણ સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવી ખેડૂતોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું રાઘવજી પટેલે જણાવ્યું હતું.  કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. રાજ્યમાં યુરિયા ખાતરનું વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને ખાતરની ખેંચ ન પડે તે મુજબનું આયોજન કરવા પણ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક પણ કરી હતી.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!