પાડાના વાંકે પખાલીને ડામ!!!! અર્થાત માર્કેટિંગ યાર્ડ સમિતિની ભૂલનો ભોગ બન્યા ખેડૂતોના પાક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 11:47:47

હાલ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આસોમાં અષાઢી જેવો માહોલ જામ્યો છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પોતાના પાક પર ખેડૂતો સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પાકનું યોગ્ય વળતર મળે તે માટે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક પહોંચાડી દેતા હોય છે. પરંતુ માર્કેટિંગ યાર્ડની લાપરવાહીને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી જતું હોય છે તેવા દ્રશ્યો અનેક વખત આપણી સામે આવતા હોય છે . વરસાદને લઈ હવામાન વિભાગને આગાહી કરી હતી પરંતુ જસદણ માર્કેટિંગ યાર્ડ આગાહીને લઈ ગંભીર ન હતી જેને કારણે યાર્ડમાં પાણી ઘૂસતા મગફળીનો પાક પાણીમાં વહી ગયો હતો. જેને કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

શું જસદણ માર્કેટિંગ યાર્ડ સુધી નથી પહોંચી વરસાદની આગાહીની ખબર? 

જસદણ માર્કેટિંગ યાર્ડથી એક વિડીયો સામે આવ્યો છે જેમાં પાણીના પ્રવાહમાં મગફળીનો પાક વહી રહ્યો છે. આવા દ્રશ્યો વર્ષ દરમિયાન અનેક સામે આવતા રહે છે. આ વખતે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વરસાદની આગાહીને ગંભીરતાથી નથી લેવામાં આવી. મગફળીના પાકને નુકસાન ન પહોંચે તે માટે કોઈ પગલા લેવામાં નથી આવ્યા. 

ખેડૂતોની મહેનત ગઈ પાણીમાં 

પોતાના પાકને બચાવવા ખેડૂત રાત દિવસ મહેનત કરતો હોય છે. ઘણી મહેનત કર્યા બાદ પણ પાક સફળ જશે કે નિષ્ફળ તેની તેને ખબર હોતી નથી. ત્યારે જે પાક સફળ ગયો છે તેની આવી દુર્દશા જોઈને ખેડૂતની કેવી હાય નીકળે. અનેક વખત પાણીમાં ભીંજાઈ જતા પાક બગડી જતો હોય છે. પરંતુ આપણી કમનસીબી એ છે કે આપણે આપણી ભૂલોમાંથી નથી શિખી શક્તા. માર્કેટિંગ યાર્ડની ભૂલને કારણે ખેડૂતોની મહેનત બરબાદ થઈ જાય છે.      



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.