Farmer Protest: 'દિલ્હી ચલો'ની જાહેરાત બાદ પોલીસ એલર્ટ, બોર્ડરો કરાઈ સીલ, ખેડૂતો આર-પારની લડાઈ લડવાના મૂડમાં!


  • Published By :
  • Published Date : 2024-02-13 10:46:24

જગતના તાત ફરી એક વખત લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. પોતાની માગ સાથે ખેડૂતો અડગ છે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનું એલાન કર્યું છે. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસ એક્ટિવ થઈ ગઈ છે. બોર્ડરો સીલ કરવામાં આવી છે. બેરિકેટ લગાવવામાં આવ્યા છે અને પોલીસ તૈનાત છે. સોમવારે ખેડૂત આગેવાનો વચ્ચે અને કેન્દ્ર સરકારના મંત્રીઓ વચ્ચે વાતચીત થઈ પરંતુ તે નિષ્ફળ સાબિત થઈ છે. બેઠક નિષ્ફળ સાબિત થતા ખેડૂતો પોતાની કૂચને આગળ વધારી રહ્યા છે. લગભગ પાંચ કલાક સુધી આ બેઠક ચાલી હતી પરંતુ ખેડૂતો જે માગને લઈ આંદોલન કરી રહ્યા છે તેની પર વાતચીત થઈ ન હતી.

ખેડૂતોની જાહેરાત બાદ પોલીસ એલર્ટ 

પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની તૈયારીઓ ખેડૂતો કરી રહ્યા છે. પોતાની માગ સંતોષાય તે માટે સરકારને ઘેરવાનો પ્રયાસ ખેડૂતો કરી રહ્યા છે. રસ્તાઓ પર ખેડૂતો આવી ગયા છે. પંજાબ તેમજ હરિયાણાથી ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે. ખેડૂતોના દિલ્હી કૂચની જાહેરાત બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 



અનેક બોર્ડરો કરાઈ સીલ 

દિલ્હીની તમામ બોર્ડર સીલ કરવામાં આવી છે. ન માત્ર સીલ કરવામાં આવી છે પરંતુ ત્યાં મોટા મોટા બેરિકેટ મૂકી દેવાયા છે. ખિલ્લાઓ લગાવી દેવામાં આવ્યા છે. એક તરફ પોલીસ છે તો બીજી તરફ ખેડૂતો પણ તમામ તૈયારીઓ કરીને આવ્યા હોય તેવું લાગે છે. ભોજન પાણીની વ્યવસ્થા કરીને ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવ્યા છે. ગાઝીપૂરા બોર્ડર હોય કે પછી સિંધુ બોર્ડર હોય, શંભુ બોર્ડર હોય કે ટિકરી બોર્ડર હોય તેને સિલ કરી દેવામાં આવી છે. ધારા 144 લાગુ કરવામાં આવી છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે