Farmer Protest : પોતાની માગોને લઈ ખેડૂતો ફરી કરશે દિલ્હી તરફ કૂચ, જાણો કઈ રણનીતિ સાથે ખેડૂતો વધી રહ્યા છે આગળ?


  • Published By :
  • Published Date : 2024-03-06 15:51:51

થોડા સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું હતું. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા હતા. ખેડૂતો દિલ્હી સુધી ના પહોંચે તે માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે ખીલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યું હતું. બોર્ડર પર ખેડૂતો અને સુરક્ષાબળો વચ્ચે અનેક વખત ઘર્ષણ સર્જાયું હતું. થોડા દિવસો માટે આ આંદોલનને રોકી દેવામાં આવી પરંતુ ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કરી દીધું છે. મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.      

ખેડૂતો કરી રહ્યા છે દિલ્હી તરફ કૂચ!

પોતાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા અને ખેડૂતો રાજધાની સુધી ના પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સુરક્ષાબળો દ્વારા. આજે ૬ માર્ચ છે ત્યારે ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. ત્યારે દિલ્હી રાજ્યની મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત રીતે પોલીસ કાફલો વધારી દેવાયો છે. આગળના કાર્યક્રમની ઘોષણા પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ પાછલા દિવસોમાં એવી ઘોષણા કરી હતી કે , ૬ માર્ચે ખેડૂતો દિલ્હી માર્ચ કરશે , ૧૦ માર્ચે  રેલવે રોકશે , ૧૪ માર્ચે  મહાપંચાયત કરશે .


આવનાર થોડા દિવસોમાં કિસાન આંદોલનને લઈ ચિત્ર થશે સ્પષ્ટ 

પોલીસ તરફથી પણ દિલ્હી કૂચને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી રાજ્યની સીમાઓ પર સુરક્ષા વધારાઈ દેવાઈ છે. કોઈ પણ સીમા બંધ નથી કરાઈ પરંતુ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાશે . તો બીજી તરફ કિસાન નેતા પંધેરે કહ્યું છે કે , ભારતના દૂર દૂરના વિસ્તારોમાંથી આવનારા ખેડૂતો આજે દિલ્હી નહીં પહોંચી શકે કારણ કે તેઓ મધ્યપ્રદેશ,બિહાર અને દક્ષિણ ભારતના ખેડૂતો રસ્તા દ્વારા અને ટ્રેન થકી આવશે . એટલે તેમને પહોંચવામાં ૨ થી ૩ દિવસ લાગી શકે છે . આવનારા ૧૦ દિવસમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે . આ તરફ દિલ્હી પોલીસે જાહેર જનતાને કીધું છે કે , તિકરી , સિંધુ અને ગાઝીપુર સરહદે ટ્રાફિક જામ માટે તૈયાર રહે. આ બાજુ સિંધુ અને તિકરી બોર્ડરે યાત્રીઓ માટે અસ્થાયી રૂપે બેરિકેટ હટાવી દેવાયા છે , પણ આ સરહદે અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે .



સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેક વખત થયો વાર્તાલાપ!

આ બાજુ કિસાન નેતા જગજીત સિંહે કહ્યું છે કે અમે દિલ્હી કૂચ કરવાનો નિર્ધાર કરી ચુક્યા છે , હવે અમે પાછળ નહીં હઠીએ. દિલ્હીની સીમાઓ પર અમે અમારી તાકાત વધારી રહ્યા છે , બધા ખેડૂતો ટ્રેન અને રસ્તાના માર્ગે ખેડૂતો આવશે. તમને જણાવી દઈએ કે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમી વાર વાર્તાલાપ ફેઈલ થઈ ચૂક્યો છે . આજે ફરી ખેડૂતો દિલ્હી આવવાની કોશિશ કરશે , પણ સુરક્ષા કર્મીઓ તેમને ઘુસવા નહીં દે. આ તરફ રાજધાની દિલ્હીમાં ગઈકાલે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. 


જ્યારે સામાન્ય માણસને મુશ્કેલી પડે છે ત્યારે ખેડૂતો માટે આવે છે ખરાબ વિચાર!

ખેડૂતોને રોકવા માટે જ્યારે બેરિકેટ મૂકવામાં આવે છે, ખીલ્લા મૂકવામાં આવે છે. ત્યારે સામાન્ય માણસને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સામાન્ય માણસ એ ખેડૂતો માટે ખરાબ બોલે છે જે તેમના સુધી અન્ન પહોંચાડે છે. ખેતરમાં ખેડૂતો મજૂરી કરે છે ત્યારે અનાજ આપણા ઘર સુધી પહોંચે છે અને આપણે જમી શકીએ છીએ. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેડૂતોને લઈ આપણે ખરાબ વિચારીએ છીએ ત્યારે આપણે પોતાને એમની જગ્યા પર રાખીને જોવા જોઈએ. જો આપણી સાથે આવું થાય તો આપણે શું કરવાના? ત્યારે જોવું રહ્યું કે ખેડૂત આંદોલનમાં આગળ શું થાય છે?   



ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.