Farmer Protest : પોતાની માગોને લઈ ખેડૂતો ફરી કરશે દિલ્હી તરફ કૂચ, જાણો કઈ રણનીતિ સાથે ખેડૂતો વધી રહ્યા છે આગળ?


  • Published By :
  • Published Date : 2024-03-06 15:51:51

થોડા સમયથી કિસાન આંદોલન ચાલી રહ્યું હતું. દિલ્હી તરફ કૂચ ખેડૂતો કરી રહ્યા હતા. ખેડૂતો દિલ્હી સુધી ના પહોંચે તે માટે સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવી હતી. ખેડૂતોને રોકવા માટે ખીલ્લાઓ, બેરિકેટ મૂકી દેવામાં આવ્યું હતું. બોર્ડર પર ખેડૂતો અને સુરક્ષાબળો વચ્ચે અનેક વખત ઘર્ષણ સર્જાયું હતું. થોડા દિવસો માટે આ આંદોલનને રોકી દેવામાં આવી પરંતુ ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાનું એલાન કરી દીધું છે. મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.      

ખેડૂતો કરી રહ્યા છે દિલ્હી તરફ કૂચ!

પોતાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા અને ખેડૂતો રાજધાની સુધી ના પહોંચે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સુરક્ષાબળો દ્વારા. આજે ૬ માર્ચ છે ત્યારે ખેડૂતોએ દિલ્હી કૂચનું એલાન કરી દીધું છે. ત્યારે દિલ્હી રાજ્યની મોટાભાગની સીમાઓ પર જબરદસ્ત રીતે પોલીસ કાફલો વધારી દેવાયો છે. આગળના કાર્યક્રમની ઘોષણા પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોએ પાછલા દિવસોમાં એવી ઘોષણા કરી હતી કે , ૬ માર્ચે ખેડૂતો દિલ્હી માર્ચ કરશે , ૧૦ માર્ચે  રેલવે રોકશે , ૧૪ માર્ચે  મહાપંચાયત કરશે .


આવનાર થોડા દિવસોમાં કિસાન આંદોલનને લઈ ચિત્ર થશે સ્પષ્ટ 

પોલીસ તરફથી પણ દિલ્હી કૂચને લઈ નિવેદન આપવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હી રાજ્યની સીમાઓ પર સુરક્ષા વધારાઈ દેવાઈ છે. કોઈ પણ સીમા બંધ નથી કરાઈ પરંતુ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાશે . તો બીજી તરફ કિસાન નેતા પંધેરે કહ્યું છે કે , ભારતના દૂર દૂરના વિસ્તારોમાંથી આવનારા ખેડૂતો આજે દિલ્હી નહીં પહોંચી શકે કારણ કે તેઓ મધ્યપ્રદેશ,બિહાર અને દક્ષિણ ભારતના ખેડૂતો રસ્તા દ્વારા અને ટ્રેન થકી આવશે . એટલે તેમને પહોંચવામાં ૨ થી ૩ દિવસ લાગી શકે છે . આવનારા ૧૦ દિવસમાં પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે . આ તરફ દિલ્હી પોલીસે જાહેર જનતાને કીધું છે કે , તિકરી , સિંધુ અને ગાઝીપુર સરહદે ટ્રાફિક જામ માટે તૈયાર રહે. આ બાજુ સિંધુ અને તિકરી બોર્ડરે યાત્રીઓ માટે અસ્થાયી રૂપે બેરિકેટ હટાવી દેવાયા છે , પણ આ સરહદે અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે .



સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે અનેક વખત થયો વાર્તાલાપ!

આ બાજુ કિસાન નેતા જગજીત સિંહે કહ્યું છે કે અમે દિલ્હી કૂચ કરવાનો નિર્ધાર કરી ચુક્યા છે , હવે અમે પાછળ નહીં હઠીએ. દિલ્હીની સીમાઓ પર અમે અમારી તાકાત વધારી રહ્યા છે , બધા ખેડૂતો ટ્રેન અને રસ્તાના માર્ગે ખેડૂતો આવશે. તમને જણાવી દઈએ કે ખેડૂતો અને સરકાર વચ્ચે પાંચમી વાર વાર્તાલાપ ફેઈલ થઈ ચૂક્યો છે . આજે ફરી ખેડૂતો દિલ્હી આવવાની કોશિશ કરશે , પણ સુરક્ષા કર્મીઓ તેમને ઘુસવા નહીં દે. આ તરફ રાજધાની દિલ્હીમાં ગઈકાલે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. 


જ્યારે સામાન્ય માણસને મુશ્કેલી પડે છે ત્યારે ખેડૂતો માટે આવે છે ખરાબ વિચાર!

ખેડૂતોને રોકવા માટે જ્યારે બેરિકેટ મૂકવામાં આવે છે, ખીલ્લા મૂકવામાં આવે છે. ત્યારે સામાન્ય માણસને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સામાન્ય માણસ એ ખેડૂતો માટે ખરાબ બોલે છે જે તેમના સુધી અન્ન પહોંચાડે છે. ખેતરમાં ખેડૂતો મજૂરી કરે છે ત્યારે અનાજ આપણા ઘર સુધી પહોંચે છે અને આપણે જમી શકીએ છીએ. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેડૂતોને લઈ આપણે ખરાબ વિચારીએ છીએ ત્યારે આપણે પોતાને એમની જગ્યા પર રાખીને જોવા જોઈએ. જો આપણી સાથે આવું થાય તો આપણે શું કરવાના? ત્યારે જોવું રહ્યું કે ખેડૂત આંદોલનમાં આગળ શું થાય છે?   



૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.

યુએસના ડિપાર્ટમન્ટ ઓફ એનર્જીએ હોલ્ટેક ઇન્ટરનેશનલ નામની કંપનીને ભારત માટે સ્મોલ મોડ્યૂલર રિએક્ટરનું ઉત્પાદન કરવા અને ડિઝાઇન કરવા મંજૂરી આપી દીધી છે . તેની મદદથી ભારત સ્મોલ મોડ્યૂલર રિએક્ટરની ચેનમાં ચાઈનાને ટક્કર આપી શકશે . ૨૦૦૮માં ભારત અને અમેરિકા વચ્ચે જે અસૈન્ય પરમાણુ કરારો થયા હતા તેનું વ્યવહારિક અમલીકરણ હવે શરુ થયું છે.

The case of Rajkumar Jat's death is becoming more and more discussed day by day and its repercussions are also being felt in other states besides Gujarat. There is immense anger in the Jat community and now it seems that this protest is going to intensify in the next two days.