ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ આપ્યું નિવેદન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-27 14:38:41

છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને કારણે સતત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત ચર્ચામાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે. થોડા સમય પહેલા પ્રખ્યાત કથાકાર મોરારી બાપુને લઈ તેમણે નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને તુલસી અને પ્રવર્તમાન તુલસી કહીને સંબોધિત કર્યા હતા. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુએ કહ્યું હતું કે મને બહુ પરિચય નથી.   

    મોરારી બાપુ News in Gujarati, Latest મોરારી બાપુ news, photos, videos | Zee  News Gujarati

ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી કહીને સંબોધ્યા હતા

રાજકોટમાં મોરારીબાપુએ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા હતા કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. પોતાના નિવેદનને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ કહી રહ્યા હતા કે ભારત માટે હિન્દુ રાષ્ટ્ર હોવું જરૂરી છે, તો તે ભારત અને પાકિસ્તાનના વિલીનીકરણથી લઈને તમામ મુદ્દાઓ પર મુક્તપણે બોલી રહ્યા છે. થોડા દિવસો પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકદરબારમાં રામકથાકાર મોરારી બાપુ વિશે કહ્યું હતું કે તેઓ યુગ તુલસી છે. પરંતુ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખતા નથી. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે મોરારી બાપુની કથામાં આવ્યા હતા.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.