Loksabha Election પહેલા શરૂ થયું પરિવાર પોલિટિક્સ ! Modi Ka Parivarને લઈ ગરમાઈ રાજનીતિ, PM Modiએ આ મામલે આપી પ્રતિક્રિયા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-05 15:03:41

રાજનીતિમાં અનેક વખત એવા નિવેદનો આપવામાં આવતા હોય છે રાજનેતાઓ દ્વારા જે ચર્ચાનો, વિવાદનો વિષય બનતા હોય છે અને એમાં જો સત્તાધારી પક્ષના દિગ્ગજ નેતા માટે કઈ કેહવામાં આવે તો પછી કહેવું જ શું...! તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા પીએમ મોદી અને લાલુ પ્રસાદ યાદવ વચ્ચે થયેલા નિવેદનોની વાત થઈ રહી છે. પીએમ મોદીને લઈ નિવેદન તેમણે આપ્યું હતું જેમાં તે પીએમ મોદીના પરિવારને લઈ પ્રશ્ન પૂછી રહ્યા હતા. તે બાદ લાલુ પ્રસાદ યાદવના નિવદેન બાદ ભાજપના દિગ્ગજ નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બાયોમાં લખ્યું મોદીનો પરિવાર. અને તે ઉપરાંત પીએમ મોદીએ પણ લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર વળતો જવાબ આપ્યો છે..

લોકસભા ચૂંટણી પહેલા ભાજપે શરૂ કર્યું મોદી કા પરિવાર કેમ્પેઈન!  

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પ્રચારમાં જાતિ, ધર્મ, પરિવારવાદને લઈ પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે ત્યારે લાલુ પ્રસાદ યાદવે થોડા દિવસ પહેલા પીએમ મોદીના પરિવારને લઈ નિવેદન આપ્યું હતું. પીએમ મોદી પર પરિવારને લઈ અંગત હમલા પણ કર્યા હતા તે બાદ મોદી કા પરિવાર કેમ્પેઈન ભાજપે લોન્ચ કર્યું તેવું લાગ્યું. ભાજપના દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોદી કા પરિવાર બાયોમાં લખ્યું. જે.પી.નડ્ડા, રાજનાથસિંહ, નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, યોગી આદિત્યનાથ, શિવરાજસિંહ ચૌહાણ સહિતના નેતાઓેએ સોશિયલ મીડિયા પર બાયો બદલ્યો હતો. લાલુ પ્રસાદ યાદવ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો ઉત્તર વડાપ્રધાન મોદીએ આપ્યો છે.      

140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે - પીએમ મોદી 

પીએમ મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા NDI ગઠબંધનના નેતાઓ ગભરાઈ રહ્યા છે. જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું ત્યારે આ લોકો હવે કહેવા લાગ્યા છે કે મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે, જેનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે. દિલ્હીમાં તો આને લઈ પોસ્ટરો લાગ્યા છે. મોદી કા પરિવારને લઈ કોંગ્રેસ નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે અને અખિલેશ યાદવે પણ આને લઈ કટાક્ષ કર્યો છે.

 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.