Rajkotથી ઝડપાઈ નકલી સ્કૂલ? નકલી ટોલનાકું, નકલી કચેરી બાદ નકલી શાળાનો પર્દાફાશ થયો!


  • Published By :
  • Published Date : 2024-07-05 17:44:06

ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે.. નકલી અધિકારી, નકલી ટોલનાકું, નકલી ઘી, નકલી પીએમઓ અધિકારી ઝડપાયા છે ત્યારે હવે રાજકોટથી નકલી સ્કૂલ ચાલતી હોવાનો પર્દાફાશ થયો છે તેવી માહિતી સામે આવી છે.. કોઈ પણ માન્યતા વગર આ શાળા ચાલતી હોય તેવી માહિતી સામે આવી છે. દુકાનમાં નકલી શાળા ચાલતી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

fake school caught in rajkot


નકલી શાળા પકડાઈ હોવનાની માહિતી 

રાજકોટથી નકલી શાળા મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. નકલી ટોલનાકુ, નકલી કચેરી પકડાવાની વાત તો આપણને મળી છે પરંતુ હવે તો નકલી શાળા ચાલતી હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર રાજકોટ માલસિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ છે. કોઈ પણ પરમિશન વગર આ શાળા ચાલતી હતી તેવી માહિતી સામે આવી છે. ગૌરી પ્રિ પ્રામાઈમરી સ્કૂલના નામે નકલી શાળા ચાલતી હતી. 

યુવરાજસિંહે કરી આ પોસ્ટ શેર.. 

માહિતી અનુસાર શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શાળાના સંચાલકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા અરવલ્લીમાંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ હતી. તે સિવાય નકલી અધિકારી, નકલી ટોલનાડું પકડાવાની વાત સામે આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા આ પણ ટ્વિટ કરવામાં આવી છે. તેમણે લખ્યું કે લો બોલો.. રાજકોટના માલિયાસણના પીપળીયામાંથી નકલી શાળા પકડાઈ.. ત્યારે હવે આ મામલે તમારૂં શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે