Aravalliમાં ઝડપાઈ સિંચાઈ વિભાગની નકલી કચેરી? MLA Dhavalsinh Zalaએ નકલી કચેરીનો પર્દાફાશ કર્યો! સાંભળો શું કહ્યું ધારાસભ્યએ?


  • Published By :
  • Published Date : 2024-05-23 13:16:00

નકલી.. આ શબ્દ ગુજરાતમાં દર થોડા દિવસો બાદ સંભળાય છે.. કોઈ વખત નકલી અધિકારી પકડાય છે તો કોઈ વખત આખે આખી નકલી કચેરી પકડાય છે.. નકલી કચેરી અનેક વખત ઝડપાઈ છે ત્યારે ગુજરાતમાં વધુ એક નકલી કાંડ થયો છે..! અરવલ્લી જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની કથિત નકલી ઓફિસ હોવાનું સામે આવ્યું છે.. બાયડના ધારાસભ્યને શંકા જતા તેમણે સ્થળની મુલાકાત લીધી હતી.. મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે... 


અનેક વખત આવતી હતી ફરિયાદો...  

ગુજરાતમાં દર થોડા દિવસે કંઈકનું કંઈક નકલી પકડાઈ રહ્યું છે.. ખાવાની ચીજ વસ્તુથી લઈને નકલી કચેરીઓ, નકલી સરકારી ઓફિસ બધું નકલી પકડાઈ રહ્યું છે.. નકલી કચેરીની વાત એટલા માટે કરવી છે કારણ કે ફરી એકવાર મોડાસાથી નકલી સિંચાઈ વિભાગની કચેરી પકડાઈ છે તેવી માહિતી સામે આવી છે.. મળતી માહિતી અનુસાર રિટાયર્ડ સિંચાઈ વિભાગના અધિકારીઑ જ આ કચેરી ગેરકાયદેસર ચલાવતા હતા તેવી માહિતી સામે આવી છે.. ઘણી બધી વાર કંપલેન આવતી હતી તો બાયડના MLA ધવલસિંહ ઝાલાને શંકા ગઈ.. 

શું કહ્યું ધારાસભ્યએ? 

ધારાસભ્યને શંકા ગઈ કે આમાં કંઈક તો ગડબડ છે.  આ મામલે તપાસ કરવા માટે તે ત્યાં પહોંચ્યા હતા. તો કચેરી 7 જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા અને કૌભાંડનો પર્દાફાશ થયો.. ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે થોડા સમય પહેલા તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેમને આ નકલી કચેરી અંગેની માહિતી આપી.. જેને ધ્યાનમાં રાખી તે આ મામલે વોચ રાખી રહ્યા હતા.. કલેક્ટર તેમજ એસપીને પણ આ મામલે જાણ કરાઈ. તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. આ બધા વચ્ચે ધારાસભ્યએ સ્થળ મુલાકાત લીધી.. 

 

આની પહેલા પણ પકડાઈ હતી નકલી કચેરી!

મહત્વનું છે કે થોડા મહિના પહેલા જ નકલી કચેરી દાહોદથી પકડાઈ હતી.. દાહોદમાં નકલી કચેરી ઉભી કરી રૂ. 18.59 કરોડના કૌભાંડ કર્યું હતું. અત્યારે બધાને મેહનત કર્યા વગર પૈસા કમાવવા છે કોઈને ઉલ્લુ બનાવીને અને કોઈને છેતરીને.. કોઈને કાયદા અને વ્યવસ્થાનો ડર જ નથી તેવું લાગે છે.. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો!



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.