પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની મુદતમાં કરાયો વધારો, જાણો ક્યાં સુધી લંબાવાઈ સમય મર્યાદા


  • Published By :
  • Published Date : 2023-03-28 15:49:28

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. બંને ડોક્યુમેન્ટને લિંક કરવા માટે સરકારે 3 મહિનાનો સમય આપ્યો છે. 30 જૂન સુધી હવે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરી શકાશે. આ પહેલા સમય મર્યાદા 31 માર્ચ 2023 સુધીની નિર્ધારિત કરવામાં આવી હતી. 31 માર્ચ 2022 પહેલા લિંક કરવાની પ્રક્રિયા મફત હતી. પરંતુ 1 એપ્રિલ 2022થી 500 રુપિયા ફી ઉઘરાવવામાં આવતી હતી. પરંતુ 1 જુલાઈ 2022થી ફી વધીને 1000 રુપિયા ઉઘરાવવામાં આવે છે.  30 જૂન 2023 સુધી આ સમય મર્યાદા લંબાવવામાં આવી છે. મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે 1 જૂલાઈ 2023થી અનલિંક કરાયેલા તમામ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. પરંતુ તમારે 1000 રુપિયા તો હમણાં પણ ચૂકવવા જ પડશે. ઈનકમ ટેક્ષ વિભાગે આપી આ અંગે જાણકારી.

  

જો પાનકાર્ડ નહીં લિંક હોય તો...  

જો 30 જૂન સુધી બંને ડોક્યુમેન્ટ લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઈનએક્ટિવ થઈ જશે.જેને કારણે આર્થિક વ્યવહારો  પર રોક લાગી જશે. જો પાનકાર્ડ ઈનએક્ટિવ થશે તો તમે 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકો. ઉપરાંત જો બેન્કમાંથી 50 હજારથી વધુ રુપિયા ભરી નહીં શકો કે ઉપાડી પણ નહીં શકો. સરકારી યોજનાનો લાભ પણ નહીં મેળવી શકો. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.