ગુજરાત સ્થાપના દિવસે આયોજીત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગેરહાજર રહેલા આચાર્યો અને શિક્ષકો પાસેથી માગ્યો ખુલાસો! પત્ર થયો વાયરલ!


  • Published By :
  • Published Date : 2023-05-11 15:44:22

પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યકક્ષા સ્તરની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેવા શિક્ષકોને તેેમજ આચાર્યોને સૂચના આપવામાં આવી હતી. પરંતુ અનેક શિક્ષકો અને આચાર્યો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ ઉજવણી દરમિયાન હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ અનેક શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર હતા. ત્યારે આ મામલે ખુલાસો માગવામાં આવ્યો છે. કયા કારણોસર શિક્ષકો તેમજ આચાર્યો ગેરહાજર રહ્યા હતા તેનો જવાબ માગ્યો છે. 

Jamnagar: Explanation sought from 62 principals and teachers for not organizing 'Mann Ki Baat'  program Jamnagar:‘મન કી બાત’ સાંભળવાનો કાર્યક્રમ ન કરતા 62 આચાર્ય અને શિક્ષકો પાસે મંગાયો ખુલાસો

કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે અંગે માગ્યો જવાબ!

જામનગર ખાતે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય સ્તરની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શિક્ષકો તેમજ આચાર્યોને આદેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મીટિંગમાં સૂચના આપવામાં આવી હતી. તે સિવાય અધિકારીઓને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ એવા અનેક શિક્ષકો તેમજ આચાર્યો હતા જે ગેરહાજર રહ્યા હતા. શાળાઓ દૂર હોવાથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પરંતુ અનેક એવા શિક્ષકો હતા જે જણાવ્યા વગર ગેરહાજર હતા. પત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારનો સરકારી કાર્યક્રમ હતો જેમાં હાજરી આપવી અનિવાર્ય હતું પરંતુ જાણ કર્યા વગર આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ત્યારે કયા કારણોસર કાર્યક્રમમાં ગેરહાજર હતા તે જણાવવા કહેવામાં આવ્યું છે.        



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.