દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ED એક્સનમાં, દેશભરમાં લગભગ 40થી વધુ સ્થાનો પર દરોડા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 12:02:46

દિલ્હી લિકર કૌભાંડ કેસને લઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે મોટી કાર્યવાહી હાથધરી છે. EDએ 6 રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા પાડ્યા છે. બેંગ્લોર, હૈદરાબાદ, અને ચેન્નઈ સહિત 40 થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા અને યુપીમાં પણ સર્ચ ચાલુ છે. માત્ર હૈદરાબાદમાં જ 25 સ્થળો પર રેડ પાડી હતી. આ કેસમાં ઈડી આજે દિલ્લીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે પણ પૂછપરછ કરવાની છે. 


દિલ્હી લિકર કૌભાંડ કેસ અંગે તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ બીજી વખત દરોડા  પાડ્યા છે. આ પહેલા  પણ 6 સપ્ટેમ્બરે દિલ્હી સરકારની આબકારી નીતિ કેસમાં 45 જગ્યાએ દરોડા પાડ્યા હતા. EDએ દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા.



CBIએ લિકર કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયા તથા IAS અધિકારી અને દિલ્હીના પૂર્વ આબકારી કમિશનર આરવ ગોપી કૃષ્ણના દિલ્લી સ્થિત નિવાસસ્થાન તથા 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 19 અન્ય સ્થાનો પર છાપા માર્યા હતા.  EDના દરોડા અંગે મનીષ સિસોદિયા નિવેદન આપ્યું હતું કે અગાઉ તેમને CBIના દરોડામાં કંઈ મળ્યું નથી. હવે ED દરોડા પાડશે તેમ છતાં તેમાંથી કંઈ બહાર નહીં આવે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.