હાર્દિક પટેલ સિવાય તેના મિત્રો ભાજપમાંથી નિકળી જશે કે શું?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 17:11:57

ભાજપના નેતા ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. પાટીદાર અનામત આંદોલનમાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. તેઓ પોતાના જ પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે વિવાદિત નિવેદનો આપવા માટે જાણિતા છે ત્યારે તેમણે વધુ એક વિવાદિત ટ્વીટ કરી છે. 


ચિરાગ પટેલે ટ્વીટમાં શું લખ્યું?

ભાજપ નેતા ચિરાગ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે જે ઈમારતને આપણે બનાવી હોય. પરંતુ તે જ્યારે કોઈના માટે જીવનું જોખમ બની જાય ત્યારે, જનહિતને ધ્યાનમાં લઈને તેનો નાશ કરવો જ પડે છે. પાર્થને કહો ચડાવે બાણ, હવે તો "યુદ્ધ એજ કલ્યાણ."


હાર્દિક એકલા રહી જશે શું?

ગુજરાતમાં આનંદબેન પટેલના સમયમાં પાટીદાર આંદોલને ગુજરાત ગજાવ્યું હતું. આંદોલનનો પણ ઈતિહાસ રહ્યો છે કે આંદોલનો થયા બાદ નેતા ઉભરતા હોય છે. પાટીદાર અનામત આંદોલનમાં પણ ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા તરીકે ચિરાગ પટેલનો ઉદ્ભવ થયો હતો. ચિરાગ પટેલ હાલ હાલ ભાજપમાં છે અને હાર્દિક પટેલના મિત્ર પણ છે. 


પાટીદારો કઈ બાજુ જઈ રહ્યા છે? 

ચિરાગ પટેલ ઉત્તર ગુજરાતના પાટીદારોના અગ્રણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને તેમની જેમ અનેક પાટીદાર નેતાઓ ના મરજી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. પાટીદારો 80ના દાયકાથી ભાજપના પક્ષમાં જ મતદાન કરતા આવ્યા છે. પાટીદારોનું ગુજરાતની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં રહેતા હોય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને ભારે નુકસાન થયું હતું. ત્યારે અત્યારે ભાજપની અંદરના જ પાટીદાર નેતાઓ ભાજપથી નારાજ છે. ત્યારે લટકતી તલવાર ગળે હોવાના કારણે હાર્દિક પટેલ તો ભાજપમાંથી નહીં નિકળી શકે પણ અન્ય પાટીદાર નેતાઓ પક્ષમાંથી નિકળે તેવી શંકાઓ સેવાઈ રહી છે. 



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.