ગાંધીનગરઃ ચિલોડા ખાતે ધરણામાં ઘર્ષણ થતાં માજી સૈનિકનું નિધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 18:46:48

આજ સવારે સાડા પાંચ વાગ્યાથી માજી સૈનિકોએ પાટનગર ગાંધીનગરમાં ઘેરો ઘાલી વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ દરમિયાન બપોરે ચિલોડામાં ઘર્ષણ થતાં કાનજી મોથલિયા નામના 72 વર્ષના માજી સૈનિક શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે. 


કેવી રીતે બની સમગ્ર ઘટના?

માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 72 વર્ષના માજી સૈનિક કાનજી મોથલિયા પણ વિરોધ નોંધાવવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. આર્મી અધિકારીઓને વિરોધ નોંધાવવા માટે જગ્યા ન મળતા તેઓ ચિલોડા ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. તે દરમિયાન બપોરે ઘર્ષણ થતાં માજી સૈનિક કાનજી મોથલિયા શહીદ થયા હતા. માજી સૈનિકોનો આક્ષેપ છે કે સરકારના આદેશથી પોલીસ પહોંચી આવી હતી અને ત્યાર બાદ પોલીસ અને માજી સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જે દરમિયાન કાનજી મોથલિયા શહીદ થયા હતા. 


કેમ માજી સૈનિકોએ ગાંધીનગર ઘેર્યું?

માજી સૈનિકો પાછલા 6 વર્ષથી પોતાની જૂની માગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. 14 માગણીઓને લઈને જવાનો આપી રહ્યા છે. નોકરી દરમિયાન શહીદ જવાનના પરિવારને એક કરોડ જેટલી આર્થિક સહાય મળે, ગુજરાતના તમામ જિલ્લામાં શહીદોના સ્મારક બને, માજી સૈનિકોને મળતા 10 ટકા અનામતનું ચુસ્તપણે પાલન થાય, માજી સૈનિકોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે અનામત સીટ મળે, હથિયાર રિન્યૂ કરવા માટે તમામ જિલ્લામાં સુવ્યવસ્થા કરવી, 5 વર્ષની ફિક્સ પગારવાળી નીતિને નાબૂદ કરવા જેવી 14 માગણીઓ સાથે સેનાના પૂર્વ જવાનો વિરોધ નોંધાવી રહ્યા છે.  


ચૂંટણી પહેલાનો સમય હોવાથી અને સરકાર મોટા ભાગના લોકોની માગણી સ્વીકારતી હોવાના કારણે એક્સ આર્મી ઓફિસર્સે ગાંધીનગરમાં ઘેરો ઘાલ્યો છે. ગુજરાત પોલીસે અનેક જવાનોની અટકાયત કરી હતી. જ્યારે જવાનો પોલીસથી બચવા માટે અન્ય સ્થળો પર જઈ વિરોધ નોંધાવી સરકારના કાને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહેના નામે સરકાર પોલીસ જવાનોની મદદથી સેનાના જવાનોની અટકાયત કરી હતી. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.