પૂર્વ ધારાસભ્યે લગાવ્યા સાબર ડેરીના વહીવટ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ, ડેરી બહાર બેઠા ધરણા પર


  • Published By :
  • Published Date : 2023-06-24 19:16:37

પોતાની માગ ન સંતોષાય તો અનેક લોકો આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. અનેક કિસ્સાઓ એવા પણ સામે આવતા હોય છે જેમાં પૂર્વ નેતાઓ ધરણા કરતા હોય છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને ડેરીના વહીવટી તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપો સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા કર્યા હતા. જશુ પટેલ દ્વારા અનેક વખત હિસાબ માગવામાં આવ્યો હતો પરંતુ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે ચોક્કસ માહિતી ન મળતા તેઓ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 

Allegation of corruption against Sabar Dairy chairman Sabar Dairy: સાબર ડેરીના ચેરમેન સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ,પૂર્વ ધારાસભ્ય બેઠા ધરણાં પર

ભ્રષ્ટાચારના આરોપો સાથે જશુ પટેલ બેઠા ધરણા પર   

સાબર ડેરી અનેક પશુપાલકોની જીવા દોરી સમાન માનવામાં આવે છે. પશુપાલકો ડેરીથી આજીવિકા મેળવે છે. ડેરીનું કરોડોનું ટર્ન ઓવર છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ તેમજ ભ્રષ્ટાચારના આરોપો પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યએ અનેક વખત ડેરીનો હિસાબ માગ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો હતો. ત્યારે આ વાતને લઈ તેમજ ભ્રષ્ટાચારના આરોપને લઈ પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેઠા છે. સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધરણા પર બેઠા હતા.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.