પૂર્વ IPS સંજીવ ભટ્ટે આજીવન જેલમાં વિતાવવું પડશે, HCએ અપીલ ફગાવી, નીચલી કોર્ટનો ફેંસલો યથાવત રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-01-09 21:29:42

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મોટો ઝટકો આપ્યો છે. તેમણે 1990 માં કથિત કસ્ટડીમાં યાતના અને મૃત્યુના કેસમાં જામનગરની કોર્ટ દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારી હતી. કસ્ટોડીયલ ડેથના કેસમાં જામનગર સેશન્સ કોર્ટે આપેલી આજીવન કેદની સજા પણ હાઈકોર્ટે યથાવત રાખી છે. તેમની અરજીને ફગાવી દેતા જસ્ટિસ આશુતોષ શાસ્ત્રી અને જસ્ટિસ સંદીપ ભટ્ટની ડિવિઝન બેન્ચે જણાવ્યું કે, “ટ્રાયલ કોર્ટે અપીલકર્તાઓને યોગ્ય રીતે દોષિત ઠેરવ્યા છે. "અમે આ નિર્ણયને સમર્થન આપીએ છીએ અને અપીલ ફગાવી દેવામાં આવે છે." ઉલ્લેખનિય છે કે 1990ના કેસમાં સેશન્સ કોર્ટે ભટ્ટને સજા સંભળાવી હતી.


સમગ્ર મામલો શું છે?


30 ઓક્ટોબર, 1990ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તત્કાલિન ભાજપ પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની ધરપકડના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન જામનગરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટે આતંકવાદી અને વિઘટનકારી પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (TADA) હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. દરમિયાન, અટકાયત કરાયેલ વ્યક્તિઓમાંથી એક, પ્રભુદાસ વૈશ્નાનું, કસ્ટડીમાંથી મુક્ત થયા પછી મૃત્યુ થયું હતું. તેમના પરિવારનો આરોપ છે કે ભટ્ટ અને અન્ય પોલીસકર્મીઓએ તેમને કસ્ટડીમાં ટોર્ચર કર્યા હતા.   પરિવારનો આરોપ છે કે પ્રભુદાસ વૈશ્નાને પાણી પણ પીવા દેવામાં આવ્યું ન હતું, જેના કારણે પ્રભુદાસ વૈશ્નાની કિડની બગડી ગઈ હતી. પ્રભુદાસ વૈશ્ના નવ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહ્યા બાદ જામીન પર છૂટ્યા હતા જો કે તેમની કિડની ફેલ થવાથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ કસ્ટોડિયલ ડેથ માટે સંજીવ ભટ્ટ અને અન્ય અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને 1995માં મેજિસ્ટ્રેટ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું.



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.