બ્રેકિંગ ન્યુઝ: પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં નિમણૂક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-01 20:27:42

ગુજરાતના પૂર્વ IPS અધિકારી રાકેશ અસ્થાનાને મોટી જવાબદારી મળી છે, વર્ષ 1984 બેંચના ભારતીય પોલીસ સેવા (IPS)ના અધિકારી રાકેશ અસ્થાનાને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં જવાબદારી મળી છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમમાં રાકેશ અસ્થાનાની પણ નિમણૂક કરવામાં આવી છે. રાકેશ અસ્થાનાને માનવ અધિકાર પંચના સ્પેશિયલ મોનિટર બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે બનાવેલી 7 સભ્યોની મોનિટર ટીમ આતંકવાદ સહિતની 3-4 બાબતો પર ખાસ ધ્યાન આપશે. રાકેશ અસ્થાનાની IPS અધિકારી તરીકેની લાંબી કારકિર્દી અને આતંક વિરોધી કાર્યવાહીઓ મામલે તેમના અનુભવને જોતા ટીમમાં તેમની નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

કોણ છે રાકેશ અસ્થાના?


રાકેશ અસ્થાના 1984 બેંચના પૂર્વ  IPS અધિકારી છે. સુરત કમિશનર તરીકે કાર્યભાર સંભાળતા જ તેમણે આસારામ સંત કેસમાં મહત્ત્વની તપાસ પોતાની દેખરેખ હેઠળ શરૂ કરી હતી, જેમાં આસારામ અને તેના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ અત્યારે BSFના DG અને NCBના વડા તરીકે પણ  તેમણે સેવા આપી હતી. રાકેશ અસ્થાનાએ અધિકારી છે, જેમની દેખરેખમાં સુશાંત સિંહ રિયા ચક્રવર્તી ડ્રગ્સ કનેક્શન કેસમાં બે FIR દાખલ થઈ હતી. આ અગાઉ રાકેશ અસ્થાના CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. એ સમયે CBI વડા આલોક વર્મા અને અસ્થાના વચ્ચે વિવાદે વ્યાપક ચર્ચા જગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાના નિવૃતિના થોડા દિવસ પહેલા જ દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિમણૂક પામ્યા હતા. અસ્થાનાને PM નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીકના માનવામાં આવે છે.

                                                                                                                        



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.