વિધાનસભાનો ઘેરાવો કરતા માજી સૈનિક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:00:07

એક તરફ શિક્ષકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહી છે તો બીજી તરફ માજી સૈનિકો  પણ પોતાની માગણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર આવ્યો છે.


માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર

દેશની સીમા પર ખડેપગે રહી આર્મી જવાનો દેશને સુરક્ષિત રાખે છે. પોતાની ફરજ દરમિયાન અનેક સૈનિકો શહીદ થતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસના શહીદવીર જવાનોને ન્યાય મળે તે માટે પોલીસ પરિવાર પણ મેદાનમાં આવ્યા છે. પોતાની પડતર માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન કરવા તૈયાર થયેલા માજી સૈનિકો વિધાનસભા આગળ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


આંદોલન વધતા સરકાર ચિંતીત

ગ્રેડ પે મુદ્દાને લઈ પોલીસ પણ સરકાર વિરૂદ્ધ પડી હતી. સરકારે પોલીસની માગણી સ્વીકારતા મામલો શાંત થયો હતો. પોતાની માગણ સરકાર સમક્ષ મુકવા પોલીસ અને આર્મી જવાનોને પણ વિરોધ કરી આંદોલન ચલાવવા પડે તો તે સરકાર માટે શરમજનક વાત છે. માજી સૈનિકની વેદના સમજનાર પોલીસ જવાનોના પરિવાર પણ તેમના સમર્થનમાં આવતા સરકાર પર વધારે દબાણમાં આવી શકે છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ સરકાર આંદોલનમાં ઘેરાઈ રહી છે. રાજ્યમાં આંદોલનો વધતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.         



દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.

દિલ્હીમાં આજે ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી અને તેમાં અરવિંદ કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો અને અંતે આતિશીના નામ પર મહોર લાગી ગઈ..

માઈ ભક્તો માટે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે... ત્યારે બસને લઈ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને વિનંતી કરી છે. સરકાર પાસેથી અપેક્ષા રાખતા તે કહેવા માગતા હતા કે ભાદરવી પૂનમ દરમિયાન દર્શને આવતા ભક્તો માટે એસટી બસના ભાડા ના હોવા જોઈએ.