બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે અનામતની વર્તમાન 50% મર્યાદાને વધારવાની માંગ કરી


  • Published By :
  • Published Date : 2022-11-08 18:47:17


સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેંચે બંધારણના 103માં સુધારા અધિનિયમ, 2019ની કાયદેસરતાની યથાસ્થિતી જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આવકાર્યો છે. જો કે તેમણે અનામતના વર્તમાન 50 ટકાની મર્યાદાને વધારવાની માગ કરી છે. નિતીશ કુમારની આ નવી માગથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  


સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું


નિતીશ કુમારે મીડિયાના સવાલના જવાબમાં કહ્યું કે EWS પર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય યોગ્ય છે. આ નિર્ણયનો અમે લોકોએ પહેલા પણ સ્વાગત કર્યું હતું. આ સારૂ છે પણ અનામતની વર્તમાન 50%ની મર્યાદાને વધારવી જોઈએ.


બિહારમાં જાતિગત વસ્તી ગણતરી  


નિતીશ કુમારે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે અમે બિહારમાં જાતિ આધારીત વસ્તી ગણતરી કરાવી રહ્યા છીએ, જાતિગત વસ્તી ગણતરી એક વખત પુરી થઈ ગયા પછી જાણી શકાશે કે રાજ્યમાં કઈ જાતિની શું સ્થિતી છે. જેથી તેની આર્થિક સ્થિતીમાં સુધારો લાવી શકાય. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.