દરેકે મંદિરમાં ચઢાવાતા શ્રીફળથી આટલી વસ્તુ શીખવી જોઈએ


  • Published By :
  • Published Date : 2022-12-03 17:40:01

આપણે જ્યારે મંદિરે જઈએ છીએ ત્યારે પ્રસાદના ભાગરૂપે શ્રીફળ આપણે અવશ્ય લઈને જતા હોઈએ છીએ. શ્રીફળને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. વૈભવ એટલે શ્રી. શ્રીનો અર્થ થાય છે લક્ષ્મી. મંદિરમાં દેવ સમક્ષ નારિયેળ વધેરવામાં આવે છે. આપણે ત્યાં જ્યારે પણ કોઈ ધાર્મિક પસંગ થાય અથવા તો પૂજા હોય તે દરમિયાન બલિદાન આપવાની પરંપરા હોય છે. પશુઓની બલી ન આપવી પડે તે માટે વિશ્વામિત્ર ઋષિએ નારીયેળની બલીદાન આપવાનું સૂચન કર્યું. નાળિયેલનું પણ માથું હોય છે, મોઢું, ચોટલી, નાક હોય છે. જેને કારણે યજ્ઞમાં શ્રીફળ હોમાવાનું શરૂ થયું. 

coconut is considered auspicious in religious event - શુભ કાર્યમાં શ્રીફળ  ફોડવું માનવામાં આવે છે પવિત્ર – News18 Gujarati

coconut Second World War Japan History Health care બીજા વિશ્વયુદ્ધમાં કોણે  ફેંક્યા હતા નારિયેળ બોમ્બ? કઈ રીતે નામ પડ્યું શ્રીફળ? જાણો નારિયેળ વિશે  મજાની વાત

નારિયેળ એટલે કે શ્રીફળમાંથી આપણે સંદેશો લેવો જોઈએ. શ્રીફળ દરિયાકીનારે ઉગે છે. ખારા પાણીથી તેનું પોષણ થાય છે. પરંતુ સમુદ્રના પાણીની ખારાશ તેમાં આવતી નથી. શ્રીફળ આપણને તો ઠંડુ, મધુર પાણી, આપે છે. આપણે પણ શ્રીફળમાંથી એ ગુણ શીખવા જેવો છે. તમારી સાથે ગમે તેટલો કડવો અનુભવ થયો હોય પરંતુ સામે વાળી વ્યક્તિને હમેશાં મીઠા પાણીની જેમ મધુરતા આપો. ઉપરાંત શ્રીફળમાંથી બીજી શીખવા જેવી વસ્તુએ છે બહારથી ગમે તેટલા પણ કઠોર હોવ પરંતુ અંદરથી મુલાયામ રહેવું જોઈએ. સજ્જન લોકો બહારથી કઠોર હોય છે પરંતુ તેમનું દિલ અંદરથી કોમળ હોય છે. 

કોઇપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર શા માટે વધેરવામાં આવે છે જાણો તેની પાછળ  નું કારણ. - Gujarat Page

શ્રીફળની મહત્તા સમજાવવા એક આખી પૂર્ણિમા તેને સમર્પિત કરી દેવામાં આવી છે. શ્રાવણ મહિનાની પૂનમને નારિયેળી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસથી માછીમારો અને દરિયાખેડૂઓ પોતાના રોજગારની શરૂઆત કરે છે. ખુશાલી માટે દરિયાદેવને શ્રીફળ અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં શ્રીફળ રાખવાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. નારીયેળ દ્વીપમાંથી આવતો હોવાથી તેને નાળીયેળ કહેવામાં આવે છે. . 




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.