ચૂંટણીના પરિણામ પહેલા Exit Pollના આંકડા પર સૌ કોઈની નજર, શું ભાજપ 400નો આંકડો પાર કરી શકશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-01 17:59:06

દેશમાં આજે અંતિમ તબક્કા માટેનું મતદાન થઈ રહ્યું છે. 6 વાગે મતદાન પૂર્ણ થશે અને તે બાદ એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ જશે.. દરેકની નજર આ એક્ઝિટ પોલ પર છે કારણ કે આના આંકડા પરથી અંદાજો આવી જતો હોય છે કે ચૂંટણીનું પરિણામ શું આવવાનું છે.. ચોથી જૂને ચૂંટણીનું પરિણામ આવવાનું છે. સી વોટર એક્ઝિટ પોલ, માઈ એક્સિસ તેમજ ચાણક્યના એક્ઝિટ પોલ મહદ અંશે સાચા સાબિત થતા હોય છે.. ભાજપને ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. ગુજરાતની 25 બેઠકો પર સૌ કોઈની નજર છે.. 


કોનો આશાવાદ સાચો સાબિત થશે? 

28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિ પ્રદેશોની 543 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. સાત તબક્કા અંતર્ગત મતદાન થયું હતું કે ટૂંક સમયમાં એક્ઝિટ પોલ આવી જશે. આ વખતે ભાજપ 400 પાર જશે તેવી આશા ભાજપના નેતાઓ દ્વારા લગાવવામાં આવી રહી છે તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેવો આશાવાદ ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. 


કોંગ્રેસે બદલ્યો પોતાનો નિર્ણય

એક્ઝિટ પોલ શરૂ થાય તે પહેલા કોંગ્રેસ દ્વારા નિર્ણય બદલવામાં આવ્યો છે. પહેલા ડિબેટમાં કોંગ્રેસના પ્રવક્તા બેસવાના ના હતા પરંતુ હવે તે બેસવાના છે.. મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપ્યું કે ઈન્ડિયા ગઠબંધનને 295 સીટો મળશે.. 




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.