Jammu-Kashmirમાં પણ શાળાઓને વાગી રહ્યા છે તાળા, આ કારણોસર વાલીઓ નથી મોકલતા પોતાના સંતાનને અભ્યાસ કરવા! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-08-02 09:20:19

ગુજરાતમાં વણસી રહેલી શિક્ષણ વ્યવસ્થાની વાતો અનેક વખત કરતા હોઈએ છીએ. ગુજરાતમાં આવેલી સરકારી શાળાની હાલત એવી છે કે શાળામાં મોકલતા પહેલા માતા પિતા પણ દસ વખત વિચારતા હોય છે. અનેક સરકારી શાળાની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળતી હોય છે. કોઈ શાળા સારી હોય તો એમાં ભણવા માટે વિદ્યાર્થીઓ ન હોય. કોઈ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય તો ત્યાં શિક્ષક ન હોય. ત્યારે આજે વાત ગુજરાતની શાળાઓની નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની શાળાઓની કરવી છે. 

શાળાની જર્જરિત હાલતને જોતા વાલીઓએ માર્યું શાળાને તાળું 

જમ્મુ કાશ્મીરથી એક શાળાની તસ્વીર સામે આવી છે જેમાં શાળાની બિલ્ડીંગ એકદમ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ શાળા ઉધામપુરમાં આવેલી છે અને શાળામાં 128 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે જેને કારણે સુરક્ષિત સ્થાન શોધવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સુરક્ષિત જગ્યા શોધ્યા બાદ અભ્યાસ ફરીથી શરૂ કરવામાં આવશે. શાળાની જર્જરિત હાલતને જોતા અને બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી શાળામાં તાળા વિદ્યાર્થીના માતા પિતાએ માર્યા હતા. જ્યારે આ મામલે સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આ મામલે તેઓ આગળ રજૂઆત કરશે,

 

જગ્યા ભલે અલગ હોય પરંતુ શિક્ષણની કથળતી પરિસ્થિતિ સરખી જ છે! 

મહત્વનું છે કે શિક્ષણ એક એવું જ્ઞાન છે જેની પર દરેક વિદ્યાર્થીનો હક છે. આપણે સર્વ શિક્ષણ અભિયાનની વાતો કરીએ છીએ, નારા લગાવીએ છીએ ત્યારે આવી શાળાઓ દાખલો બેસાડે છે રાજ્ય ભલે અલગ અલગ હોય પરંતુ શિક્ષણની પરિસ્થિતિ લગભગ દરેક રાજ્યોમાં તેમજ Union Territoryમાં સરખી હોય છે. શિક્ષણ માટે બાળકોએ પહેલા પણ સંઘર્ષ કરવો પડતો હતો આજે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!