દિલ્હી જાય તે પહેલા જ મોદીના બીજા ગુજરાત પ્રવાસની તારીખો થઈ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:29:48

ભાજપનો પ્રચાર કરવા અનેક વખત ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. હાલ પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદીને ભાજપનો લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. ત્યારે 2 દિવસના પ્રવાસ દરમિયાન જનસંપર્ક કરી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. 


ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી

નિષ્ણાંતોના મતે પીએમ મોદીના અવાર-નવાર પ્રવાસોને કારણે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે સુરત ખાતે તેમણે રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પીએમનું અભિવાદન ઝીલ્યું હતું.


અમિત શાહ પણ આવશે ગુજરાતની મુલાકાતે 

ત્યારે પ્રવાસે આવેલા પીએમ મોદી દિલ્હી પહોંચે તે પહેલા જ, બીજી વખતના ગુજરાત  પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવી છે. 11મી ઓક્ટોબરે જામકંડોરણા ખાતે આવવાના છે  તેમજ 19મી ઓક્ટોબરના રોજ રાજકોટમાં તેઓ જનસંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ પણ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દિગ્ગજ નેતાઓના પ્રવાસ વધવાથી ભાજપનો ચૂંટણી પ્રચાર જોર-શોરથી થવા લાગ્યો છે.     



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.