સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ પણ અશોક ગેહલોત પોતાની વાત પર મક્કમ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:25:44

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ અનેક વિવાદો શરૂ થઈ ગયા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ રાજસ્થાન સરકારમાં વિવાદ થવાને કારણે તેમણે પોતાનું નામ પાછું લઈ લીધું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવા ઈચ્છે છે પરંતુ ગેહલોતના સમર્થકવાળા ધારાસભ્યોએ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. આ બધા વચ્ચે અશોક ગેહલોત સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી એરપોર્ટ પર અશોક ગેહલતે કહ્યું કે રાજસ્થાનમાં ચાલી રહેલી ઊથલ-પાથલ ઘરનો મામલો છે, ઈન્ટર્નલ પોલિટક્સમાં આવું બધું ચાલતું રહે. અશોક ગેહલોતની રણનીતિ જોતા એવું લાગી રહ્યું છે કે હાઈ કમાન્ડ પર પ્રેશર બનાવવાનો પ્રયત્ન તેઓ કરી રહ્યા છે. સચિન પાયલને મુખ્યમંત્રી નહીં બનાવવા તેમજ રાજસ્થાનમાં તેમના સમર્થકોની સરકાર બને તેવું ઈચ્છી રહ્યા છે.


લોકો સામે એવો મેસેજ જાય છે કે હું મુખ્યમંત્રી પદ પર રહું

 સોનિયા ગાંધીની મુલાકાત માટે ગયેલા અશોક ગેહલોતે તેમને એવું કહ્યું કે, "જો હુઆ બહુત દુખદ હૈ, મૈં ભી બહુત આહત હું." સોનિયા ગાંધી સાથેની બેઠક બાદ અશોક ગેહલોતે કહ્યું હતું કે, સતત 50 વર્ષથી મને કોંગ્રેસે અનેક જવાબદારીઓ સોંપી છે તેમાં ઈંદિરા ગાંધી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો પણ સમાવેશ થઈ જાય છે. કોંગ્રેસે મારા પર વિશ્વાસ રાખી મને મોટી જવાબદારીઓ સોંપી હતી જેને મેં બખૂબી નિભાવી છે. 



અધ્યક્ષ બનવા નહીં ભરે ગેહલોત પોતાનું ફોર્મ


ગાંધી પરિવારના વિશ્વાસુ મનાતા અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે થયેલી મુલાકાત બાદ પોતાનું ફોર્મ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નહીં ભરે તેવી જાહેરાત કરી છે.

 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.